બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Archives / news_detail-19991

NULL / ગુજરાતના આ આશ્રમમાં રામેશ્વરથી લવાયેલ પથ્થર આજે પણ પાણીમાં તરી રહ્યો છે

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરાના કરજણમાં આવેલા શીવવાડી આશ્રમમાં રામેશ્વરથી લાવવામાં આવેલો પથ્થર આજે પણ પાણીમાં તરી રહ્યો છે. અને ભકતોના આસ્થાનું કેદ્ર બન્યો છે. રામનવમી નિમિત્તે અમારો ખાસ અહેવાલ.

વિજ્ઞાન  અને ટેકનોલોજીમાં દુનિયા ભલે ગમે તેટલી આગળ વધે પણ જ્યાં શ્રધ્ધા અને ભક્તિનો વિષય હોય ત્યાં વિજ્ઞાન પણ એક સમયે મૌન ધારણ કરતુ હોય છે. આજથી 20 વર્ષ પહેલા અહીના મહંત ભોલાગીરી બાપુ આ પથ્થર લાવ્યા હતા. અને આશ્રમમાં એક કુંડ બનાવીને તેની સ્થાપના કરવામાં આવી હતી. જે પથ્થર આજે પણ પાણીમાં તરી રહ્યો છે. આ પથ્થરનું વજન અંદાજે 20 કિલો જેટલું છે. તેમ છતાં તે પાણીમાં ચમત્કારિક રીતે તરી રહ્યો છે.

ભગવાન રામની વાનરસેનાએ બનાવેલા રામસેતુના પથ્થર પૈકીનો એક પથ્થર અહી છે. જેના દર્શન માટે અનેક શ્રદ્ધાળુઓ આવે છે. અને આ તરતા પથ્થરના દર્શન કરે છે. અત્યારે આપણે પાણીમાં કાકરી નાખીએ તો પણ તે ડૂબી જાય છે. જોકે 20 કિલોનો આ પથ્થર ચમત્કારિક રીતે તરી રહ્યો છે.   

શિવ વાડી આશ્રમમાં શ્રદ્ધાપૂર્વક લાવવામાં આવેલા આ પથ્થરના કારણે આખા વિસ્તારમાં આ બાબત શ્રદ્ધાનું કેદ્ર બની છે. અને લોકો આજે પણ અહી આવીને રામાવતારનો અનુભવ કરી રહ્યા છે. જોકે આ રામશિલાને આજે આ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજવામાં આવે છે   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ