બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાં દરરોજ કરો આ યોગાસનો, મળશે ચમત્કારિક ફાયદા
Last Updated: 05:35 PM, 13 November 2025
yogasan: આજના સમયમાં બેઠાળુ જીવન અને ખાવા પીવાની બદલાતી ટેવને લઇને ગમે ત્યારે વ્યક્તિ બિમારીમાં સપડાતો હોય છે. રોજ નીતનવા રોગનો ભોગ બનતા હોય છે. આજે ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. પરંતુ તમે યોગ કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.
ADVERTISEMENT
આજકાલ હાઈ બ્લડ પ્રેશર હોવું લોકોમાં સામાન્ય બની ગયું છે, પરંતુ તેને હળવાશથી ન લેવું જોઈએ. બાબા રામદેવે હાઈ બ્લડ પ્રેશરને કાબુમાં કરવા માટે કેટલાક ફાયદાકારક યોગાસન જણાવ્યા છે. શરૂઆતમાં તેના લક્ષણો હળવા હોય છે જેમ કે માથાનો દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ અથવા બેચેની લાગે છે પરંતુ લોકો ઘણીવાર તેને અવગણે છે.

ADVERTISEMENT
હાઈ બ્લડ પ્રેશર, અથવા હાયપરટેન્શનની સમસ્યા આ દિવસોમાં ઝડપથી વધી રહી છે. જેમાં બ્લડ પ્રેશર સામાન્ય સ્તર કરતાં વધી જાય છે. સતત વધેલું બ્લડ પ્રેશર હૃદય, કિડની અને મગજ પર દબાણ લાવે છે. જો સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદય રોગ, સ્ટ્રોક અથવા કિડની ફેલ થઇ શકે છે પરંતુ તમે બાબા રામદેવ દ્વારા સૂચવેલા કેટલાક સરળ યોગાસન કરીને હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી શકો છો.
સામાન્ય લક્ષણો
ADVERTISEMENT
હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણોમાં માનસિક તણાવ, સ્થૂળતા, વધુ પડતું મીઠું સેવન, ધૂમ્રપાન, દારૂ અને આનુવંશિક પરિબળો શામેલ છે. આ સ્થિતિ હૃદયરોગનો હુમલો, મગજનો સ્ટ્રોક, આંખની નબળાઈ અને કિડનીને નુકસાન પણ પહોંચાડી શકે છે.
આ યોગાસન ફાયદાકારક
ADVERTISEMENT
અનુલોમ વિલોમ:
બાબા રામદેવ જણાવે છે કે આ સૌથી અસરકારક પ્રાણાયામ કસરતોમાંની એક છે. તેમાં બંને નસકોરા દ્વારા વારાફરતી શ્વાસ લેવા અને બહાર કાઢવાનો હોય છે, જે મનને શાંત કરે છે અને નસોમાં રક્ત પ્રવાહને સંતુલિત કરે છે. નિયમિત અભ્યાસથી તણાવ, ચિંતા અને ચીડિયાપણું ઓછુ થાય છે, જેનાથી બ્લડ પ્રેશર ધીમે ધીમે સામાન્ય થાય છે.
ADVERTISEMENT

સૂર્ય નમસ્કાર
ADVERTISEMENT
આમાં સંપૂર્ણ શરીરની કસરતનો સમાવેશ થાય છે. તે સ્નાયુઓને સક્રિય કરે છે અને સંતુલિત બ્લડ પ્રેશર જાળવવામાં મદદ કરે છે.
યોગિક જોગિંગ
હળવી ગતિએ કરવામાં આવતી આ કસરત રક્ત પરિભ્રમણ વધારે છે અને તણાવ ઘટાડે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે.

આ પણ વાંચોઃ પીરિયડ લીવ લેવા પર મહિલાઓનો પગાર નહીં કપાય, સરકારે જાહેર કર્યો આદેશ
કપાલભતી પ્રાણાયામ
તે શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે છે અને રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે. દરરોજ તેનો અભ્યાસ કરવાથી હૃદયનું કાર્ય સુધરે છે.
આ પણ જરૂરી
મીઠું અને તળેલા ખોરાકનું સેવન ઓછું કરો. દરરોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લો. સવારે કે સાંજે નિયમિત યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો. તણાવ ઓછો કરવા માટે સંગીત સાંભળો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.