હાલમાં જ કરણ જોહરની ગ્રાન્ડ બર્થડે પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને હવે આ પાર્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
બોલિવૂડમાં ફેલાયું કોરોનાનું સંક્રમણ
કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં કોરોનાનો વિસ્ફોટ
ડરના કારણે કોઈ જાહેર કરતુ નથી
હાલમાં જ કરણ જોહરની ગ્રાન્ડ બર્થડે પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડના લગભગ તમામ સ્ટાર્સે હાજરી આપી હતી અને હવે આ પાર્ટીને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કરણની પાર્ટીમાં ફરી એકવાર કોરોના ફાટી નીકળ્યો છે અને 50 થી 55 લોકો કોરોના સંક્રમિત થયા છે.
50-55 લોકોને કોરોના થયો
કરણ જોહરે તાજેતરમાં જ પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પાર્ટીમાં રિતિક રોશન, શાહરૂખ ખાન, કેટરિના કૈફ, કિયારા અડવાણી, જ્હાનવી કપૂર, મલાઈકા અરોરા અને કરીના કપૂર ખાન જેવા તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. પરંતુ હવે આ પાર્ટી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, કરણ જોહરની આ ભવ્ય પાર્ટીમાં ગેસ્ટ તરીકે આવેલા 50 થી 55 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.
આ રિપોર્ટ અનુસાર, આ સ્ટાર્સ ટિકા થવાના ડરથી કોવિડ પોઝિટિવ હોવાનું જણાવી રહ્યા નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાર્ટીમાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કરણ જોહરના ઘણા નજીકના મિત્રો કોવિડથી સંક્રમિત થયા છે. જો કે, તેમાંથી મોટાભાગના તેમના કોવિડ પોઝિટિવ હોવાનો ખુલાસો નથી કરી રહ્યા. જો કે તે કહેવું મુશ્કેલ છે કે આ ચેપ બાકીના સ્ટાર્સમાં કોના દ્વારા ફેલાયો, પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તે કાર્તિક આર્યન સાથે ફિલ્મનું પ્રમોશન કરી રહેલી અભિનેત્રી દ્વારા વાયરલ થયો હતો.
આદિત્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો
આપને જણાવી દઈએ કે, ભૂતકાળમાં અક્ષય કુમાર, કાર્તિક આર્યન અને આદિત્ય રોય કપૂર જેવા સ્ટાર્સને કોરોના થયો છે અને તેઓએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી પણ આપી હતી.અક્ષય હવે સ્વસ્થ થઈને પાછો ફર્યો છે પરંતુ કાર્તિક અને આદિત્ય હાલમાં ઘરે અલગ છે.