ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:25 PM, 7 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
કમલ હાસને કહ્યું ચોલ રાજાઓ હિન્દુ ન હતા
અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને ચોલ રાજાઓને લઈને એક એવું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. હાસને કહ્યું હતું કે ચોલ રાજાઓના સમયે 'હિન્દુ ધર્મ' ન હતો. નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર વેત્રિમારણે કહ્યું હતું કે રાજા ચોલ હિન્દુ હતા નહીં. તેમના જ નિવેદનનું સમર્થન હસને કર્યું. તાજેતરના જ અમુક વર્ષોમાં ઘણા એવા મામલાઓ સામે આવ્યા છે જેમાં અલગ અલગ સમુદાયના લોકો ખુદને હિંદુ કહેતા નથી. આમાં કર્ણાટકનો લિંગાયત સમુદાય અને ઝારખંડ, ઓડિશા અને અસમનાં અમુક સમુદાયો પણ સામેલ છે.
ADVERTISEMENT
.jpg)
સરનાને મળે અલગ ધર્મનો દરજ્જો : કેટલાક આદિવાસીઓની માંગ
ઝારખંડ, ઓડિશા અને આસામના 5 રાજ્યોના વિવિધ આદિવાસી સમુદાયના લોકો લાંબા સમયથી તેમના ધર્મ 'સરના'ને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં આદિવાસી સમુદાયનો મોટો હિસ્સો પોતાને હિંદુ માનતો નથી. બંધારણમાં અનુસૂચિત જાતિને હિંદુ માનવામાં આવે છે, પરંતુ એવા ઘણા કાયદા છે જે તેમને લાગુ પડતા નથી. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956, હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 સિવાય, હિંદુ લગ્ન અધિનિયમ 1955 આદિવાસીઓને લાગુ પડતો નથી. આ સમુદાયમાં હિંદુ ધર્મની ઘણી એવી પરંપરાઓ છે, જે માણી નથી ગણાતી. આદિવાસી સમુદાય પોતાની માન્યતાઓના હિસાબે લગ્ન અથવા અન્ય પરંપરાઓ નિભાવે છે.
ADVERTISEMENT
ચોલ રાજવંશનો ઇતિહાસ
ચોલ રાજવંશની સ્થાપના ત્રીજી સદીમાં થઈ હતી. 13મી સદી સુધી આ રાજવંશનું રાજ ચાલી રહ્યું હતું. કહેવામાં આવે છે કે દેશમાં ચોલ રાજવંશનું શાસન લાંબા સમય સુધી રહ્યું હતું. રાજેન્દ્ર તૃતીય આ રાજવંશના છેલ્લા શાસક હતા. ચોલ રાજાઓમાં રાજારાજ પ્રથમ અને તેમના પુત્ર રાજેન્દ્ર પ્રથમ સૌથી વધારે પરાક્રમી ચોલ રાજા ગણાતા હતા. અશોકના 13માઆ શિલાલેખમાં તેમનો ઉલ્લેખ છે. છોળોના પોતાના શાસનકાળ દરમિયાનઆ વિશાળ સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. ઇતિહાસમાં ચોલ રાજાઓ શૈવ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવની પૂજા કરતાં હતા. ચોલ રાજાઓએ પોતાના શાસનકાળ દરમિયાન ઘણા શિવ મંદિર પણ બનાવ્યા હતા.
ADVERTISEMENT
શૈવ અને ભક્તિ સાહિત્યનો ઉલ્લેખ
ચોલ રાજાઓએ શિવ મંદિરની સાથે સાથે ભક્તિ અને સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જોકે તેઓ ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતા. તેમના શાસનકાળ દરમિયાન વિષ્ણુની પણ પૂજા થતી હતી. રાજાઓએ અનેક મંદિરો અને મઠોનું નિર્માણ કરીને કલા, સંસ્કૃતિ વગેરેને પ્રોત્સાહન આપ્યું. ચોલ રાજાઓના સમયમાં હિંદુ ધર્મનો પ્રભાવ વધ્યો. આમ, હાસનનું નિવેદન કે ચોલ રાજાઓ દરમિયાન હિન્દુ ધર્મ ન હતો તે ઇતિહાસના તથ્યો સાથે મેળ ખાતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ