બાંસવાડા જિલ્લાની સૌથી મોટી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સાથે 25 બેડનું સર્જિકલ વોર્ડ 1 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પરંતુ એક તકનીકી ભૂલ હવે પ્રકાશમાં આવી છે જે મજાક બની ગઈ છે.
એક કરોડનું ભવન બનાવી દેવાયું પરંતુ બહાર નીકળવા માટે દરવાજો જ ન રાખ્યો
રાજસ્થાનની સરકારી હોસ્પિટલમા ંબની ઘટના
કન્સ્ટ્રક્શન એજન્સીના ઇજનેરો આ વોર્ડનો મુખ્ય દરવાજો બનાવવાનું ભૂલી ગયા હતા અને આવી સ્થિતિમાં, હવે તેને ઇમરજન્સીમાં વોર્ડમાં અઢી ફુટનો દરવાજો છે જ્યાંથી આવી-જઇ શકાય છે પરંતુ
મોટી તકનીકી ભૂલો સંબંધિત ચર્ચાનો વિષય બન્યો
ગયા વર્ષે રાજ્ય સરકારે બાંસવાડામાં મહાત્મા ગાંધી હોસ્પિટલના આઉટડોર ઉપર 25 બેડ ક્ષમતાવાળા સર્જિકલ વોર્ડ બનાવવાની મંજૂરી આપી હતી. જેની સાથે ઓપરેશન થિયેટર બનાવવાનું હતું. આ માટે એક કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું અને તેના નિર્માણની જવાબદારી રાષ્ટ્રીય આરોગ્ય મિશનને સોંપવામાં આવી હતી. વોર્ડનું નિર્માણ લગભગ પૂર્ણ થયું છે પરંતુ હવે તેમાં મોટો તકનીકી ખામી નજરે પડી છે. તે અંગેની ચર્ચા જોરદાર છે કે તે બેદરકારી છે કે મોટી ભૂલ છે.
ઇમરજન્સી સમયે બહાર નિકળવાનું મુશ્કેલ
ક્રેન મારફતે વોર્ડ અને ઓપરેશન થિયેટરના નિર્માણની સામગ્રી પહોંચાડ્યા બાદ ધ્યાન રાખનાર વ્યક્તિને પણ દરવાજાના નિર્માણની ભૂલ યાદ ન આવી અને કામ પુરું થઇ ગયું. આ મામલે મહાત્મ ગાંધી હોસ્પિટલના મુખ્ય અધિકારી ડો. અનિલ ભાટીએ જણાવ્યું હતું કે, નિર્માણ દરમિયાન રહેલી ભૂલ પર કોઇનું ધ્યાન પડ્યું નહીં. ત્યારે હવે સ્થિતિ એવી છે કે, ઇમરજન્સી સમયે બહાર નિકળવાનું મુશ્કેલ બની શકે છે.