બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''છેલ્લાં 10 દિવસથી ચાલતા ઘટનાક્રમથી મારું મન દુ:ખી છે'', અંતે ધર્મેન્દ્ર 'પ્રધાન' ના રહ્યાં

નેશનલ / ''છેલ્લાં 10 દિવસથી ચાલતા ઘટનાક્રમથી મારું મન દુ:ખી છે'', અંતે ધર્મેન્દ્ર 'પ્રધાન' ના રહ્યાં

Published By: Jinal Chauhan

Last Updated: 03:07 PM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEET વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, પત્રમાં વિદ્યાર્થીઓના ભવિષ્યનો કર્યો ઉલ્લેખ. તેમણે કહ્યું- દેશના યુવાનોનું ભવિષ્ય કોઈપણ વિવાદથી ઉપર છે.

NEET-UG પરીક્ષામાં ગેરરીતિના આરોપો અને દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલેલા રાજીનામા પત્રમાં છેલ્લા કેટલાક દિવસોના ઘટનાક્રમથી દુઃખી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય વ્યક્તિગત પ્રતિષ્ઠાનો નહીં પરંતુ દેશના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે.

રાજીનામામાં શું લખ્યું ધર્મેન્દ્ર પ્રધાને?

ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું કે તેઓ ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રના સુધારા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મજબૂત અને પારદર્શક શિક્ષણ વ્યવસ્થા કોઈપણ દેશના વિકાસનો આધાર છે.

NEET વિવાદથી થયા વ્યથિત

ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી ઘટનાઓથી તેમનું મન ખૂબ દુઃખી છે. તેમણે કહ્યું કે આ મુદ્દો તેમના વ્યક્તિગત સન્માનનો નથી પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે.

પરીક્ષા સુધારા અને CBI તપાસનો કર્યો ઉલ્લેખ

પત્રમાં તેમણે NEET-UG પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિઓ બાદ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે મામલાની તપાસ CBIને સોંપવામાં આવી અને પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા.

વિદ્યાર્થીઓના ભવિષ્યને આપી પ્રાથમિકતા

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાયદાકીય વિવાદો અને રાજકીય ચર્ચાઓમાં અટવાઈ જાય. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસ પરથી ન ભટકે તે માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું.

vtv app promotion

આ પણ વાંચોઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પોસ્ટ કરીને આપી માહિતી

વડાપ્રધાન અને મંત્રાલયનો માન્યો આભાર

રાજીનામાના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંત્રિમંડળના સહયોગીઓ અને શિક્ષણ મંત્રાલયના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં આગળ પણ દેશના યુવાનો અને લોકો માટે કામ કરતા રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Education Ministry Dharmendra Pradhan Resignation NEET UG Controversy

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ