બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિદ્યાર્થીઓને મોડી રાત્રે PM મોદીનો મહત્વનો સંદેશ, કહ્યું - પેપર લીક પર કડક કાર્યવાહી કરવામાં આવશે
Last Updated: 02:01 AM, 24 July 2026
જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિદ્યાર્થીઓના નામે એક મોડી રાત્રે વિડિયો સંદેશ જારી કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે પેપર લીક એ કોઈ મામૂલી વિષય નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજે આ મામલામાં વધુ મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પણ જણાવ્યું હતું કે પેપર લીક સામે વધુ કડક પગલાં ભરવા માટે કેબિનેટમાં પણ વિગતવાર ચર્ચા થશે.
ADVERTISEMENT
More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U
— Narendra Modi (@narendramodi) July 23, 2026
વિદ્યાર્થીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મિત્રો, પેપર લીક કોઈ સામાન્ય બાબત નથી. આનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે પીડા થાય છે. છેલ્લા અઢી મહિનામાં પેપર લીકની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકારે અનેક મહત્વના કડક પગલાં ભર્યા છે અને દોષિતોની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે સરકારની સૌથી મોટી જવાબદારી વિદ્યાર્થીઓનું એક વર્ષ બગાડવા ન દેવાની હતી. તેથી ઓછામાં ઓછા સમયમાં લગભગ 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તારીખ 19 ના રોજ પરીક્ષાના પરિણામો પણ જારી કરી દેવામાં આવ્યા છે અને દેશભરમાંથી સફળ ઉમેદવારોની ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.
ADVERTISEMENT
Nothing is more important than the welfare and future of our youth!
— Narendra Modi (@narendramodi) July 23, 2026
We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this…
ADVERTISEMENT
PM મોદીએ કહ્યું કે, સરકાર માત્ર આટલી કાર્યવાહીથી સંતોષ માનવાની નથી. તેમણે જણાવ્યું કે આજે તેમણે સંબંધિત વિભાગોને પેપર લીકના કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાના નિર્દેશ આપ્યા હતા. વિભાગોએ સતત મહેનત કરીને મોડી રાત્રે જ તેનો મુસદ્દો (ડ્રાફ્ટ) તૈયાર કરીને સોંપી દીધો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે આ પ્રસ્તાવમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના સાથે દોષિતો માટે અત્યંત કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ મુસદ્દા પર શુક્રવારે કેબિનેટ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે અને મંત્રીઓના સૂચનો બાદ આખરી ઓપ આપવામાં આવશે. સોમવારથી સંસદના બીજા અઠવાડિયાની કામગીરી શરૂ થઈ રહી છે અને સરકાર આ બિલને વહેલી તકે ગૃહમાં પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો- ગુજરાતમાં 24 જુલાઇએ આ જિલ્લામાં પડશે મૂશળધાર વરસાદ
ADVERTISEMENT
આ તમામ ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદ પર મોટો ફેરફાર કર્યો છે. વરિષ્ઠ IAS અધિકારી વિનીત જોશીને ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ પદેથી હટાવીને પંચાયતી રાજ મંત્રાલયના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગના નવા સચિવ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.