બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દેવશયની એકાદશી પર અપનાવો આ 5 ઉપાય, દૂર થશે પૈસાની તંગી

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / દેવશયની એકાદશી પર અપનાવો આ 5 ઉપાય, દૂર થશે પૈસાની તંગી

Last Updated: 11:45 AM, 25 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દેવશયની એકાદશી પર નીચે જણાવેલ પાંચ સરળ ઉપાયો કરવાથી ધન-સમૃદ્ધિ વધે છે, ઘરમાં સુખ-શાંતિ આવે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ચાતુર્માસમાં પુણ્યનું અનેકગણું ફળ મળે છે.

1/7

photoStories-logo

1. દેવશયની એકાદશી

હિંદુ ધર્મમાં દેવશયની એકાદશીનું ખૂબ મહત્વ છે. જેમાં અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગનિદ્રામાં જાય છે. આ સમયગાળામાં લગ્ન-વિવાહ જેવા શુભ કાર્યો બંધ રહે છે, પરંતુ ભગવાનની પૂજા-અર્ચનાનું ફળ અનેક ગણું વધારે મળે છે. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે, આર્થિક તંગી દૂર થાય અને લક્ષ્મી માતાની કૃપા સતત તમારા પર બની રહે તો દેવશયની એકાદશીના દિવસે આ 5 સરળ ઉપાય જરૂરથી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. દક્ષિણાવર્તી શંખથી ભગવાનનું અભિષેક કરો

ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો તેમાં થોડું ગંગાજળ અને ગાયનું કાચું દૂધ મેળવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું અભિષેક કરો. કેમ કે, માતા લક્ષ્મીને આ શંખ ખૂબ પ્રિય છે. આ ઉપાયથી અટવાએલું ધન પાછું આવવા લાગે છે અને ધનની કમી દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ભગવાન વિષ્ણુને તુલસી કરો અર્પણ

એકાદશીના દિવસે તુલસીનાં પાન તોડવાની મનાઈ હોય છે, તેથી એક દિવસ પહેલાં જ તુલસીનાં પાન તોડીને રાખી લો. પૂજા વખતે ભગવાન વિષ્ણુને તુલસીનાં દળ અર્પણ કરો. જેમાં વિષ્ણુને તુલસી વિના ભોગ લાગતો નથી. તુલસી ચઢાવવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની ક્યારેય કમી રહેતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પીપળાના વૃક્ષ પર જળ અર્પણ અને દીપક

એકાદશીની સવારે સ્નાન કર્યા બાદ પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરો. સાંજે પીપળા પાસે ઘી કે તેલનો દીપક પ્રગટાવો. કેમ કે, પીપળામાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વાસ માનવામાં આવે છે. આ ઉપાયથી ઘરનું માન-સન્માન વધે છે અને ખરાબ દિવસો દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વિષ્ણુ મંત્રનો કરો જાપ

પૂજા વખતે કે આખા દિવસમાં કમ સે કમ 108 વાર ॐ नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરો. જો તમે ઇચ્છા હોય તો વિષ્ણુ સહસ્રનામનો પાઠ પણ કરી શકો છો. કેમ કે, તેનાથી મન શાંત રહે છે, ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પીળા રંગની વસ્તુઓનું કરો દાન

પીળો રંગ ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય છે. આ દિવસે કોઈ જરૂરિયાતમંદને કે મંદિરમાં પીળી વસ્તુઓ જેમ કે ચણાની દાળ, પીળા કપડાં, હળદર, પીળા ફળ કે બેસનની મીઠાઈ દાન કરો. કેમ કે, કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત થાય તો સારું નસીબ આવે છે અને અટકેલા કામ પૂરા થવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Devshaya Ekadashi Lord Vishnu Lakshmi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ