બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 AM, 25 July 2026
NEET-UG પેપર લીક મુદ્દે સરકાર અને CJP વચ્ચે આજે ત્રીજા તબક્કાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. બેઠક પહેલા જ CJPએ સ્પષ્ટ કરી દીધું છે કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગમાંથી કોઈ સમાધાન નહીં થાય. જો સરકાર આ મુદ્દે હકારાત્મક નિર્ણય નહીં લે તો સંગઠન આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારીમાં છે. હવે આજની બેઠકમાં શું નિર્ણય થાય છે તેના પર વિદ્યાર્થીઓ અને સમગ્ર દેશની નજર ટકેલી છે.
ADVERTISEMENT
આજની બેઠકમાં સરકાર અને CJP વચ્ચે ફરી ચર્ચા થવાની છે. બંને પક્ષો અગાઉની ચર્ચામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જોકે બેઠક પહેલાં જ CJPના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જો શિક્ષણમંત્રીના રાજીનામા અંગે સરકાર કોઈ હકારાત્મક નિર્ણય નહીં લે તો આગળની વાતચીતનો કોઈ અર્થ નહીં રહે.
ADVERTISEMENT
CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાના જણાવ્યા પ્રમાણે જો સરકાર પોતાની સ્થિતિ નહીં બદલે તો સંગઠન આંદોલનને વધુ વ્યાપક બનાવશે. દેશભરના વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોને જોડીને વિરોધ વધુ તેજ કરવામાં આવશે. સાથે જ આગામી દિવસોમાં મોટા કાર્યક્રમો અને નવા વિરોધ પ્રદર્શનની પણ જાહેરાત થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંંચોઃ NEET પેપર લીક વિવાદ બાદ શિક્ષણ મંત્રાલયમાં મોટો ઉલટફેર, 47 અધિકારીઓ પર થશે કાર્યવાહી !
ADVERTISEMENT
સરકાર સાથેની અગાઉની બેઠકમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસ, વળતર અને પરીક્ષા પ્રણાલીમાં કેટલાક સુધારાઓ જેવા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા થઈ હોવાનું CJPનું કહેવું છે. સંગઠનને આશા છે કે સરકાર આ મુદ્દાઓ પર લેખિત જવાબ આપશે. જોકે મુખ્ય માંગ હજુ પણ શિક્ષણમંત્રીના રાજીનામાની જ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારે NTAના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમ છતાં CJPનું કહેવું છે કે માત્ર અધિકારીઓને હટાવવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. પરીક્ષા વ્યવસ્થાની આખરી જવાબદારી શિક્ષણ મંત્રાલયની હોવાથી રાજકીય જવાબદારી પણ નક્કી થવી જોઈએ.
દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું ધરણું હજુ પણ ચાલુ છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા છે. આજની બેઠક બાદ સરકારના વલણના આધારે CJP પોતાની આગામી રણનીતિ જાહેર કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.