બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બદલાયેલા 'હેડ કોચ' સાથે ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાનમાં, જાણો કોને મળી છે જવાબદારી?
Last Updated: 04:22 PM, 22 July 2026
ટીમ ઇન્ડિયા આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના ટૂર ખતમ થયા બાદ હવે કાલે એટલે કે 23 જુલાઇ ઝિમ્બાવ્વે વિરુદ્ધ 3 મેચોની ટી20 ઇન્ટરનેશનલ સીરીઝ રમાશે. આ દરમિયાન ફક્ત આ 3 મેચ ટી 20 સીરીઝ રમાશે, પરંતુ તમને જાણીને હેરાની થશે આ દરમિયાન ગૌતમ ગંભીર હેડ કોચના રુપમાં નહીં રહે. કોઇ અન્ય વ્યક્તિને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇના હેડ કોચ બનાવીને મોકલ્યા છે. જો કે, આ ટી20 સીરિઝમાં કેપ્ટનશી શ્રેયસ અય્યર જ કરશે, જે યુકે દરમિયાન પર દરેક 10 મેચોના ભાગ રહ્યા છે.
ADVERTISEMENT
હકીકતમાં ટીમ ઇન્ડિયા 23, 25 અને 26 જુલાઇના રમનારી 3 ટી20 મેચોમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીમાં ઉતરશે. પરંતુ આ સીરિઝમાં ગૌતમ ગંભીરની જગ્યા વીવીએસ લક્ષ્મણ હશે. હેડ કોચ આ સીરિઝ માટે જરુર બદલ્યા છે, પરંતુ આ કોઇ પરમેન્ટ નિર્ણય નથી. ગૌતમ ગંભીર હજી પણ ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે, પરંતુ બે સીરિઝ વચ્ચે ઓછો સમય અને અગામી સીરિઝનું ધ્યાન રાખતા બીસીસીઆઇએ વીવીએસ લક્ષ્મણને ઝિમ્બાવ્વે મોકલવાનો નિર્ણય કર્યો છે. વીવીએસ આ સમયે સીઓઇના હેડ પણ છે.

ADVERTISEMENT
બીસીસીઆઇએ નથી બલ્યો હેડ કોચ
બીસીસીઆઇએ હેડ કોચ બદલ્યો નથી, પરંતુ ઇંગ્લેન્ડ અને ઝિમ્બાવ્વેની સીરિઝ વચ્ચે બહુ ઓછો સમય છે. 19 જુલાઇ છેલ્લી વનડે મેચ ખતમ થઇ અને 23 જુલાઇ ઝિમ્બાવ્વેમાં પહેલી ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવશે. આ સીરિઝ ખતમ થશે તો અમુક દિવસો બાદ ભારતીય ખેલાડી શ્રીલંકાના પ્રવાસે જશે. જ્યાં ટેસ્ટ અને ટી 20 સીરિઝ ટીમ ઇન્ડિયાને રમાશે. આ સીરિઝમાં ગૌતમ ગંભીર જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ હશે. ઓગષ્ટમાં શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ખતમ થશે અને પછી સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સ શરુ થશે. આવુ પહેલી વખત નથી થયું, જે કોઇ નાના પ્રવાસ માટે સીઓઇ કે એનસીએના કોચને સાથે મોકલવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ 20 પ્લેયર્સને મળ્યું સ્થાન
કોચિંગ સ્ટાફના વર્કલોડને ધ્યાનમાં રાખતા અને ચાર દિવસમાં ખતમ થનારી આ 3 મેચોની સીરિઝ માટે બેંગ્લુર સ્થિત સેન્ટર ઓફ એક્સીલેન્સના સપોર્ટ સ્ટાફને બીસીસીઆઇએ ઝિમ્બાવ્વે મોકલવાનો નિર્ણય પહેલા જ કર્યો છે. વીવીએસ લક્ષ્મણની સાથે તેનો સપોર્ટ સ્ટાફ ભારતની લગભગ અડધો ડઝન ખેલાડીઓની સાથે પહેલા જ ઝિમ્બાવ્વે પહોંચી ગયો છે. ત્યાં કેપ્ટન શ્રેયસ અય્યર સહિત અનેક ખેલાડી લંડનથી હરારે માટે ગયા છે, જ્યાં 3 મેચોની ટી 20 સીરિઝ મેચ રમાશે.
ADVERTISEMENT
ઇન્ડિયા V/S ઝિમ્બાવ્વે ટી20 સીરિઝનું શિડ્યુલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.