બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:31 PM, 22 July 2026
CJP Protest: કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં સીજેપીના વિરોધ પ્રદર્શનને શાંતિપુર્ણ ન માન્યો અને પ્રદર્શનમાં હિંસાનો આરોપ લગાવ્યો. સરકારે કહ્યુ કે વિરોધમાં સામેલ કેટલાક તત્વોએ હિંસા કરી અને અરજીઓ ફક્ત પ્રચાર માટે દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે બુધવારે CJPના વિરોધ અંગે દિલ્હી હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એ કોર્ટને જણાવ્યું હતું કે સીજેપીનો વિરોધ શાંતિપૂર્ણ નહોતો અને વિરોધમાં સામેલ કેટલાક તત્વોએ હિંસા કરી. સરકારે હાઈકોર્ટમાં એમ પણ કહ્યું હતું કે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓ ફક્ત પ્રચાર માટે હતી.
પીડિતો દ્વારા કોઈ FIR કે અરજી દાખલ કરવામાં આવી નથી...
ADVERTISEMENT
એએસજીએ કોર્ટને જાણ કરી હતી કે જે લોકો પર હુમલો થયો હોવાનો આરોપ છે તેમાંથી કોઈએ હજુ સુધી FIR દાખલ કરી નથી કે કોર્ટમાં અરજી દાખલ કરી નથી. સરકારે કોર્ટને કહ્યું હતું કે આ તથ્યોને જોતાં અરજીઓમાંના દાવાઓને તે સંદર્ભમાં જોવું જોઈએ. આ કેસમાં સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ CJPના આંદોલન વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના ઘરે યોજાઇ મહત્વની બેઠક, દેશભરમાં હોબાળો
અરજદારે શું કહ્યું?
ADVERTISEMENT
નોંધનીય છે કે 20 જુલાઈના કોકરોચ જનતા પાર્ટીના આહ્વાન પર વિદ્યાર્થીનું આંદોલન થઇ રહ્યુ હતું. આ વિરોધ સામે પોલીસે કાર્યવાહી કરી હોવાનો આરોપ છે. આ કાર્યવાહી અંગે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું હતું કે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. સૌથી પહેલા અધિકાર, જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હતી એક થવાની સ્વતંત્રતા અને રાજનીતિક સંઘ બનાવવાનો અધિકાર.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.