બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:44 PM, 25 July 2026
કેન્દ્ર સરકાર સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ જે મુદ્દે સૌથી વધુ ચર્ચા ચાલી રહી હતી, તે અંગે હવે મોટો વિકાસ સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ પોતાની સૌથી મોટી માંગ તરીકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી અને હવે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઘટનાને પાર્ટીએ પોતાની મુખ્ય માંગની પૂર્ણતા તરીકે ગણાવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બેઠક દરમિયાન સરકાર અને કોકરોચ જનતા પાર્ટી વચ્ચે વળતર, કાનૂની કાર્યવાહી તેમજ અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી વળતર અને કાનૂની મુદ્દાઓ અંગે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. જોકે, પાર્ટી માટે સૌથી મહત્વનો મુદ્દો કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાનો હતો અને તે અંગે સ્પષ્ટ નિર્ણયની રાહ જોવામાં આવી રહી હતી. આ દરમિયાન હવે ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપતાં સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટીએ જણાવ્યું છે કે તેમની મુખ્ય માંગ પૂર્ણ થઈ છે અને હવે સરકાર દ્વારા લેવામાં આવનારા આગામી વહીવટી અને કાનૂની નિર્ણયોની રાહ જોવામાં આવશે.
Union Education Minister Dharmendra Pradhan resigns. pic.twitter.com/TaUjDUMAyd
— ANI (@ANI) July 25, 2026
ADVERTISEMENT
પાર્ટીના પ્રવક્તા આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે જો સરકાર તેમની મુખ્ય માંગ પર નિર્ણય નહીં લે તો આવી બેઠકોનું મહત્વ ઘટી જાય. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે માત્ર અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીને મુખ્ય માંગને અવગણવી યોગ્ય નથી. હવે રાજીનામું સ્વીકારવામાં આવ્યા બાદ સરકાર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
ADVERTISEMENT
Union Education Minister Dharmendra Pradhan resigns.
— ANI (@ANI) July 25, 2026
"...To ensure that anti-national elements are not benefitted by the situation at Jantar Mantar and across the country, that the nation remains united, students in India do not get tangled in legal complexities and focus on… https://t.co/sbtiMMhrgp pic.twitter.com/DPdZwn8q7i
રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. શિક્ષણ મંત્રાલયમાં નવા નેતૃત્વની નિમણૂક અંગે પણ અટકળો શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, વિવિધ રાજકીય પક્ષો આ ઘટનાને અલગ-અલગ રીતે જોઈ રહ્યા છે. કેટલાક પક્ષોએ આ નિર્ણયને લોકશાહી પ્રક્રિયાનો ભાગ ગણાવ્યો છે, જ્યારે કેટલાકે તેને જનદબાણનું પરિણામ ગણાવ્યું છે.
ADVERTISEMENT
હાલમાં કેન્દ્ર સરકાર તરફથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદની પ્રક્રિયા અંગે સત્તાવાર માહિતી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે. રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયના કામકાજને અસર ન થાય તે માટે ટૂંક સમયમાં નવા પ્રભારી અથવા નવા શિક્ષણ મંત્રીની જાહેરાત થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ ઘટનાનો પ્રભાવ માત્ર કેન્દ્રની રાજનીતિ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી દિવસોમાં દેશના રાજકીય સમીકરણો પર પણ તેની અસર જોવા મળી શકે છે. હવે સરકારના આગામી નિર્ણય અને કોકરોચ જનતા પાર્ટીની ભાવિ રણનીતિ પર સૌની નજર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.