બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:49 PM, 25 July 2026
અભિનેતા અને હોસ્ટ શેખર સુમન 'શેખર ટુનાઈટ'ના તાજેતરના એક એપિસોડ દરમિયાન ભાવુક થઈ ગયા હતા. તેમણે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસની કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતા હોવાના દ્રશ્યોએ તેમને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. 63 વર્ષીય સુમને ખુલાસો કર્યો હતો કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઊંઘી શક્યા નથી અને સતત રડી રહ્યા છે.
ADVERTISEMENT
વિરોધ પ્રદર્શન પર બોલ્યા સુમન
NEET પેપર લીક કેસને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વિશે વાત કરતા સુમને જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓની સાથે છે. તેમણે વિદ્યાર્થીઓ સામે લેવામાં આવેલા પગલાં પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, શરૂઆતમાં તેમને વિચાર આવ્યો હતો કે શું દેશ જ્યારે વિરોધ પ્રદર્શનોને કારણે અશાંતિના માહોલમાં હોય ત્યારે આ કાર્યક્રમનું પ્રસારણ કરવું જોઈએ કે નહીં; પરંતુ બાદમાં તેમણે નિર્ણય લીધો કે કાર્યક્રમ આગળ વધારવો એ તેમની જવાબદારી છે.
ADVERTISEMENT
ભાવુક થયા શેખર સુમન
ભાવુક અંદાજમાં એપિસોડની શરૂઆત કરતા સુમને કહ્યું, "20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર પર તે નિર્દોષ, નિઃશસ્ત્ર અને લાચાર બાળકો સાથે જે કંઈ થયું તે હૃદયદ્રાવક હતું. જે રીતે તેમને લાઠીઓ વડે નિર્દયતાપૂર્વક અને ક્રૂરતાથી મારવામાં આવ્યા અને લોહીલુહાણ હાલતમાં છોડી દેવામાં આવ્યા, તેણે મને અંદરથી હચમચાવી દીધો છે. હું છેલ્લા ત્રણ દિવસથી સૂઈ શક્યો નથી; હું સતત રડી રહ્યો છું."
ADVERTISEMENT
BREAKING : Shekhar Suman comes in support of Protesting students and slams the Govt for brutally assaulting them without mincing any words.
— Roshan Rai (@RoshanKrRaii) July 24, 2026
No toolkit, No Conditions just pure solidarity.
This is absolute Courage, Even ED raids couldn’t snatch it from him, in-fact they made him… pic.twitter.com/jTHKpiVBmK
સુમને ઉઠાવ્યા સવાલ
ADVERTISEMENT
પ્રદર્શનકારીઓ સામે લેવાયેલા પગલાં પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું, "તે યુવાન અને નિર્દોષ બાળકોનો શો વાંક હતો? શું તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેમણે અન્યાય અને દમન સામે અવાજ ઉઠાવ્યો? કે પછી તેઓ તેમના અધિકારો, તેમના ભવિષ્ય અને તેનાથી પણ વિશેષ આ દેશના ભવિષ્ય માટે અડગ રહ્યા? તેમણે બહેતર શિક્ષણ વ્યવસ્થાની માંગ કરી હતી. પરંતુ તેમની વાત સાંભળવાને બદલે, તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને મારપીટ કરવામાં આવી."
તેમણે આગળ કહ્યું, "આ મુશ્કેલ સમયમાં, હું દરેક નિર્ભય યુવાન, દરેક સંયોજક, દરેક યુવા વ્યક્તિ અને એવા દરેક ભારતીયની પડખે ઊભો છું જેમનું હૃદય આ દેશના સન્માન માટે ધબકે છે, એવા દરેક વ્યક્તિની સાથે, જેમનામાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનું સાહસ છે."
ADVERTISEMENT
જંતર-મંતર પર પ્રદર્શન
સુમને આ વાત ત્યારે કહી હતી જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી'ના નેતૃત્વમાં હજારો યુવા પ્રદર્શનકારીઓ 'ચલો સંસદ' વિરોધ પ્રદર્શન માટે જંતર-મંતર ખાતે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ NEET પેપર લીક સહિત શિક્ષણ વ્યવસ્થામાં કથિત અનિયમિતતાઓને લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''સલમાન ખાન ડર ગયા...'', અડધી રાત્રે ભાઈજાનની પોસ્ટથી ફેન્સ ચોંકી ઉઠ્યા
ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીનું સમર્થન
NEET પેપર લીક અને શિક્ષણ સુધારણાની માંગણીઓને લઈને ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી પણ સમર્થન મળ્યું છે. સલમાન ખાન, આલિયા ભટ્ટ, વરુણ ધવન, શબાના આઝમી અને આર. માધવને વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.