બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રામ મંદિર કેસમાં SCના આદેશ બાદ નવી SIT, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ રહેશે ટીમમાં

મોટા સમાચાર / રામ મંદિર કેસમાં SCના આદેશ બાદ નવી SIT, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ રહેશે ટીમમાં

Published By: Priykant Shrimali

Last Updated: 04:23 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ram Mandir Donation Case : રામ મંદિર ચઢાવા મામલે સુપ્રીમ કોર્ટ સખત, નવી SITની રચના; ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પણ કરશે તપાસમાં મદદ

Ram Mandir Donation Case : અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટમાં ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિના મામલે સુપ્રીમ કોર્ટે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ પર ભાર મૂક્યો છે. વાસ્તવમાં આ કેસની સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે કોર્ટને જાણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના અગાઉના સૂચનોને અનુસરીને નવી વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. હવે આ ટીમમાં નાણાકીય તપાસને વધુ મજબૂત બનાવવા માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને પણ સામેલ કરવામાં આવશે.

વરિષ્ઠ અધિકારીઓને સોંપાઈ તપાસની જવાબદારી

મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે તપાસની પારદર્શિતા જળવાઈ રહે તે માટે નવી SIT બનાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના સૂચન અનુસાર લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IG) કિરણ એસને SITના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે અયોધ્યા રેન્જના DIG સોમેન વર્મા અને અયોધ્યાના SSP ગૌરવ ગ્રોવરને પણ તપાસ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

નાણાકીય તપાસ માટે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટનો સમાવેશ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે મામલો નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલો હોવાથી તપાસ ટીમમાં ફોરેન્સિક ઓડિટનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને પણ સામેલ કરવો જરૂરી છે. સરકાર તરફથી આ સૂચન સ્વીકારવામાં આવ્યું અને કોર્ટને ખાતરી આપવામાં આવી કે SITમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેથી નાણાકીય વ્યવહારોની વધુ અસરકારક તપાસ થઈ શકે.

કોર્ટનો ભાર-ઝડપી અને નિષ્પક્ષ તપાસ જરૂરી

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હાલ તેનું મુખ્ય ધ્યાન કેસની ઝડપી, ગુણવત્તાસભર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ પર છે. કોર્ટે SITને ચાલી રહેલી તપાસ અંગે સમયાંતરે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ પંણ વાંચો : લોકસભામાં રજૂ થયું પરીક્ષા સંશોધન બિલ, જાણો પેપર લીક કરનાર સામે કેવી કાર્યવાહી થશે?

ટ્રસ્ટની રસીદો જાહેર કરવાની માંગ

સુનાવણી દરમિયાન અરજદાર પક્ષે માંગ કરી હતી કે રામ મંદિર ટ્રસ્ટને મળતા ચઢાવાની તમામ રસીદો વિસ્તારવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવે, જેથી સામાન્ય લોકોને સંપૂર્ણ માહિતી મળી રહે અને પારદર્શિતા વધે. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ સૂચનનો વિરોધ કરતા જણાવ્યું કે આ સંવેદનશીલ મુદ્દાને બિનજરૂરી રીતે સનસનાટીભર્યો બનાવવો યોગ્ય નથી. આ સમગ્ર મામલે હવે નવી SITની તપાસ અને તેના અહેવાલ પર સૌની નજર રહેશે. સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધશે અને ત્યારબાદ જ કેસમાં આગળની કાર્યવાહી નક્કી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Mandir Donation Case SIT Investigation Ayodhya Ram Mandir

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ