બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સંસદની બહાર ધર્મેન્દ્ર પ્રધાનનું NDAના સાંસદોએ સ્વાગત કર્યું, પાઘડી પહેરાવી અંદર લઇ ગયા
Last Updated: 11:43 AM, 27 July 2026
શિક્ષણ મંત્રીના પદ પરથી રાજીનામું આપ્યા પછી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે પહેલીવાર સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં NDAના સાંસદોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને તેમને પાઘડી પહેરાવી.પછી તમામ સાંસદો તેમને સંપૂર્ણ સમ્માન સાથે સદનની અંદર લઇ ગયા હતા.
ADVERTISEMENT
સૂત્રોનું કહેવું છે કે આ સ્વાગત દ્વારા સરકાર સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે કે ધર્મેન્દ્ર પ્રધાને તેમની અંતરાત્માની અવાજ પર વિદ્યાર્થીઓના અને દેશના હિતોને ધ્યાનમાં રાખી સ્વેચ્છાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો અને તેમના આ નિર્ણય સાથે સરકાર અને સંગઠન મજબૂતી સાથે ઉભી છે. વડાપ્રધાને તેમની પાસે રાજીનામું નહોતું માંગ્યું અને હવે મકરદ્વાર પર તેમનાં સ્વાગત દ્વારા સત્તા પક્ષ એ પણ સાબિત કરવા માંગે છે કે કોઈપણ પ્રકારના દબાણ કે અસંતોષના પરિણામે રાજીનામું નહોતું.
વરિષ્ઠ પત્રકારો અને નિષ્ણાંતોનું માનવું છે કે પાર્ટી દ્વારા આ પ્રકારનું સ્વાગત એક તરફનું ડેમેજ કંટ્રોલ છે, જેથી તેમની છબી ખરાબ ના થાય.
ADVERTISEMENT
જ્યારે ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું, ત્યારે ગૃહમંત્રી અમિત શાહ, પીયૂષ ગોયલ, જેપી નડ્ડા, જિતેન્દ્ર સિંહ, નિર્મલા સીતારમણ, દિલ્હીના સીએમ રેખા ગુપ્તા સહિત કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમના ઘરે જઈ મુલાકાત કરી હતી. જેમાં ભાજપના અધ્યક્ષ નિતિન નવીન પણ સામેલ હતા. ભાજપના તમામ નેતાઓએ તેમના રાજીનામાંને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પ્રધાને યુવાઓના નામે લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓના આંદોલનનું રાષ્ટ્ર વિરોધી તાકાતો ફાયદો ના ઉઠાવે એટલે તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું હતું કે નીટ પેપર લીક મામલાની જવાબદારી તેમણે પહેલા દિવસથી જ લીધી હતી અને જે કંઈપણ સંભવ હતું, તેના માટે પગલાં ઉઠાવ્યાં. નીટની પરીક્ષા બીજીવાર કરાવી અને પરિણામ જલદી જ જાહેર કરાયાં.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.