બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:26 PM, 27 July 2026
લોકસભાના ચોમાસા સત્રમાં કેન્દ્ર સરકારે પબ્લિક એક્ઝામિનેશન્સ (ગેરરીતિ નિવારણ) સુધારા વિધેયક-2026 રજૂ કર્યું છે. પરીક્ષાઓમાં પેપર લીક અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે સરકાર હાલના કાયદાને વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા સુધારા હેઠળ માત્ર પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી જ નહીં પરંતુ આવા કેસોની ઝડપી સુનાવણી માટે ખાસ ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો ઉદ્દેશ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વર્ષ 2024માં અમલમાં આવેલા પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટમાં હવે મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવી રહ્યા છે. નવા બિલ મુજબ પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિમાં સંડોવાયેલા વ્યક્તિને ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકશે. ઉપરાંત આરોપી પર ₹50 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવી શકશે. આ સાથે જ આવા કેસો માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં સુનાવણી કરીને બે મહિનામાં કેસનો નિકાલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરકારે સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે પણ વધુ કડક વલણ અપનાવ્યું છે. જો પેપર લીક અથવા પરીક્ષામાં ગેરરીતિ કોઈ સંગઠિત ગેંગ અથવા ગુનાહિત નેટવર્ક દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવશે તો આરોપીઓને ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજા થશે. ઉપરાંત આવા કેસોમાં ₹10 કરોડ સુધીનો દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારનું માનવું છે કે આ કડક સજાથી પેપર લીકના સંગઠિત રેકેટ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.
ADVERTISEMENT
હાલના કાયદાની વાત કરીએ તો અત્યાર સુધી પેપર લીક કરનારને 3થી 5 વર્ષની જેલની જોગવાઈ હતી. જ્યારે સંગઠિત ગેંગ દ્વારા ગેરરીતિ કરવામાં આવે તો 5થી 10 વર્ષની જેલ અને ઓછામાં ઓછો ₹1 કરોડનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. હવે નવા સુધારા દ્વારા સજા અને દંડ બંનેને વધુ કડક બનાવવામાં આવ્યા છે, જેથી પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિ કરનારાઓ સામે કડક સંદેશ જાય.
ADVERTISEMENT
નવા સુધારા બિલમાં કુલ 15 પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સ્પષ્ટ રીતે ગુનો જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રશ્નપત્ર લીક કરવો, OMR શીટમાં ચેડાં કરવાં, નકલી વેબસાઇટ બનાવવી, નકલી એડમિટ કાર્ડ જાહેર કરવું તેમજ પરીક્ષા સંબંધિત અન્ય ગેરરીતિઓ આચરવી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહેશે અને ઉમેદવારોને નિષ્પક્ષ સ્પર્ધાનું વાતાવરણ મળશે.
આ પણ વાંચો : સરદાર સરોવરમાં પાણીની આવક યથાવત, નર્મદા ડેમની સપાટી પહોંચી 128.51 મીટરે
ADVERTISEMENT
NEET પેપર લીક મામલે દેશભરમાં ભારે વિરોધ થયા બાદ સરકારે પરીક્ષા વ્યવસ્થામાં મોટા સુધારા કરવાનો નિર્ણય લીધો છે. આ વિવાદ બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત કરી છે. દેશના અગ્રણી નિષ્ણાતોને સાથે રાખીને બનાવાયેલી આ સમિતિ ભારતની પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક, વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે ભલામણો કરશે, જેથી ભવિષ્યમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર રીતે યોજી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.