બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:45 PM, 27 July 2026
1/6
વર્ષ 2026માં કાવડ યાત્રાની શરૂઆત 30 જુલાઈથી થશે અને તેનું સમાપન 11 ઓગસ્ટે સાવન શિવરાત્રિના દિવસે થશે. આ દરમિયાન દેશભરમાં શિવભક્તોમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળશે. હરિદ્વાર, ઋષિકેશ અને અન્ય પવિત્ર સ્થળોથી ગંગાજળ લાવી શિવલિંગ પર અર્પણ કરવાની પરંપરા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
2/6
30 જુલાઈ 2026, ગુરુવારથી શ્રાવણ મહિનાની શરૂઆત સાથે કાવડ યાત્રા શરૂ થશે. આ યાત્રા 11 ઓગસ્ટ 2026, મંગળવારના રોજ શ્રાવણ શિવરાત્રિના દિવસે પૂર્ણ થશે. આ વર્ષે કાવડ યાત્રા કુલ 13 દિવસ સુધી ચાલશે. કાવડ યાત્રાનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ભગવાન શિવને ગંગાજળ અર્પણ કરવાનું છે. વર્ષ 2026માં 11 ઓગસ્ટે સાવન શિવરાત્રિના દિવસે કાવડિયા શિવલિંગ પર ગંગાજળ ચઢાવશે. આ જ દિવસે યાત્રાનું સમાપન પણ થશે.
3/6
4/6
સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા હલાહલ વિષને ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું. તે પછી તેમના શરીરની જ્વાળા શાંત કરવા માટે દેવતાઓ અને પરમ શિવભક્ત રાવણે ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. ત્યારથી શ્રાવણ મહિનામાં ગંગાજળ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે.
5/6
શ્રાવણ મહિનામાં લાખો શિવભક્તો કેસરિયા વસ્ત્રો પહેરી હરિદ્વાર, ઋષિકેશ, ગોમુખ સહિતના પવિત્ર તીર્થસ્થળોથી ગંગાજળ ભરે છે. ત્યારબાદ તેઓ પગપાળા પોતાના ગામ કે શહેરના શિવ મંદિરમાં પહોંચીને ભગવાન શિવને ગંગાજળ અર્પણ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ