બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની ઘટના, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ, મોટી જાનહાનિ ટળી
Last Updated: 04:00 PM, 27 July 2026
દુબઈથી મુંબઈ જતી એક મુસાફરી ફ્લાઈટમાં ઉડાન દરમિયાન લગેજ કમ્પાર્ટમેન્ટમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફ્લાઈટના પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક સાધ્યો અને સુરક્ષાના ભાગરૂપે નજીકના રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો
માહિતી અનુસાર, ફ્લાઈટમાં લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં ક્રૂ સભ્યોએ આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પાયલોટે ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
ADVERTISEMENT
રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ તેમજ એરપોર્ટના તમામ ઈમરજન્સી વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રનવે પર જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું છે કે ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વડોદરામાં આતંકીઓની ગુપ્ત બેઠકનો ખુલાસો, MS યુનિવર્સિટીની બહાર રચાયું હતું દેશવિરોધી કાવતરું
ADVERTISEMENT
હાલ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને લઈને તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વધુ વિગતો ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ બાદ જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.