બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં મિત્રતાનો કરૂણ અંત: ચા પીવાના બહાને બોલાવી 23 વર્ષીય યુવકની હ*ત્યાનો આક્ષેપ
Last Updated: 11:20 PM, 27 July 2026
રાજકોટ શહેરમાં હત્યાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રૂખડિયાપરા વિસ્તારમાં 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, ઉમંગને તેના મિત્ર નાઝીરે ચા પીવાના બહાને બોલાવ્યો હતો, જ્યાં બંને વચ્ચે કોઈ કારણસર ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
ADVERTISEMENT
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નાઝીરે ઉમંગ પર ઢોર માર માર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ હાલતમાં ઉમંગને ઘટનાસ્થળે જ છોડી આરોપી નાઝીર ફરાર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોની મદદથી ઉમંગને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે તેમજ આરોપીની શોધખોળ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.