ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / થશે લક્ષ્મીનો વરસાદ, જો ધનતેરસથી દિવાળી સુધી અપનાવશો આ 6 ઉપાય

ધર્મ / થશે લક્ષ્મીનો વરસાદ, જો ધનતેરસથી દિવાળી સુધી અપનાવશો આ 6 ઉપાય

Published By: Nirav Kumar

Last Updated: 12:48 PM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા ઘર પરિવારમાં ધન અને સમૃદ્ધિ વધારવા માંગતા હોવ તો આ ધનતેરસના તહેવારમાં અમુક ઉપાય જરુરથી કરવા જોઈએ. તેનાથી ગરીબી, બીમારી અને અશુભ શક્તિઓ પણ દૂર રહે છે.

ADVERTISEMENT

ધનતેરસને ખુબ શુભ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા અને નકારાત્મકતા દૂર કરવા તેમની પૂજા પણ કરવામાં આવે છે.  આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર 2025 (શનિવાર) ના રોજ ઉજવવામાં આવશે, ત્યારબાદ 19 કાળી ચૌદશ અને 20 ઓક્ટોબરે દિવાળી છે. ધનતેરસથી દિવાળી સુધીના ત્રણ દિવસ દરમિયાન લક્ષ્મી માતા, વિષ્ણુ ભગવાન અને કુબેર દેવતાની પૂજા કરવી ખાસ ફળદાયી મનાય છે. તેથી આ સમયગાળા દરમિયાન લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

  • ગૌમૂત્ર કે ગંગા જળના ઉપાયો
    ધનતેરસ પર ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગૌમૂત્ર કે ગંગા જળનો છંટકાવ કરો. બંને તરફ સ્વસ્તિકનું પ્રતીક દોરો. તેનાથી ગરીબી, બીમારી અને અશુભ શક્તિઓ દૂર રહે છે.
  • મંત્ર
    ધનતેરસથી દિવાળી સુધી દરરોજ સવારે અથવા સાંજે 108 વખત "ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः" નો જાપ કરો. તેનાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે. પરિવારમાં શાંતિ અને ખુશીઓ કાયમ રહે છે. લક્ષ્મી માતાને કમળના ફૂલો, મખાના અને ખીર અર્પણ કરો. આ ઉપાય ઘરમાં ધન અને સમૃદ્ધિ વધારવા માટે અસરકારક મનાય છે.
  • શ્રી યંત્ર

ધનતેરસ પર શ્રી યંત્રની સ્થાપના અને પૂજા કરવાને ખુબ શુભ મનાય છે. આ ઉપાયથી ધન-ધાન્યમાં વધારો થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

  • શ્રી સૂક્ત કે લક્ષ્મી અષ્ટક

ધનતેરસથી દિવાળી સુધી દરરોજ શ્રી સૂક્ત કે લક્ષ્મી અષ્ટકનો પાઠ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સંપત્તિ, સૌભાગ્ય અને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે.

vtv app promotion

વધુ વાંચો : 500 વર્ષ બાદ આવી રહ્યો છે વૈભવલક્ષ્મી રાજયોગ, જે આ જાતકોના જીવનમાં પૂરશે નવા રંગ

  • તુલસી

ધનતેરસથી દિવાળી સુધીનો સમય લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ સમય મનાય છે. આ સમય દરમિયાન તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે.

  • દાન

આ સમયગાળા દરમિયાન ગરીબો, જરૂરિયાતમંદોને કે ગાય, કૂતરા અને પક્ષીઓને ખોરાક, કપડાં કે પૈસાનું દાન કરો. દાન કરવાથી લક્ષ્મી માતાના કાયમી આશીર્વાદ મળે છે. ધનતેરસ અને દિવાળી પર દાન કરવું ખાસ કરીને શુભ મનાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali festival Shri Yantra Dhanteras

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ