ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં વધ્યો બાળ મૃત્યુદર: 2024માં હતો 5% ને 2025માં વધીને થયો 6%, સરકારનો જવાબ
Last Updated: 02:09 PM, 28 February 2026
ADVERTISEMENT
Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠા જિલ્લામાં બાળ મૃત્યુદર અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી રજૂ કરી હતી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2024માં બનાસકાંઠામાં બાળ મૃત્યુદર 5 હતો, જ્યારે વર્ષ 2025માં તે વધીને 6 થયો છે.
ADVERTISEMENT
જન્મદરમાં પણ નોંધાયો ફેરફાર
આ વધારો ચિંતાજનક માનવામાં આવે છે અને આરોગ્ય સેવાઓ અંગે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવે છે. આંકડા અનુસાર, વર્ષ 2024માં બાળ જન્મદર 22.10 હતો, જે વર્ષ 2025માં થોડો વધીને 22.20 થયો છે. એટલે કે જન્મદરમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT

ખાનગી હોસ્પિટલોમાં વધુ જન્મ
ADVERTISEMENT
સરકારે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમિયાન જન્મેલા બાળકોમાં સૌથી વધુ પ્રસૂતિ ખાનગી હોસ્પિટલોમાં થઈ છે. આથી એ પણ સ્પષ્ટ થાય છે કે મોટી સંખ્યામાં પરિવારો ખાનગી આરોગ્ય સેવાઓ તરફ વળી રહ્યા છે.
ADVERTISEMENT
આરોગ્ય વ્યવસ્થાની પડકારો
બાળ મૃત્યુદરનો વધારો રાજ્ય માટે ચિંતા નો વિષય બની શકે છે. નિષ્ણાતોના મત અનુસાર, સમયસર સારવાર, પોષણ, ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજી અને પ્રસૂતિ પછીની દેખભાળ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ