ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નેપાળમાં પૂરનો પ્રકોપ: ફસાયેલા ભારતીયોને સલામત પરત લાવવા ઓપરેશન શરૂ, ભારત મદદનો હાથ લંબાવશે

નેશનલ / નેપાળમાં પૂરનો પ્રકોપ: ફસાયેલા ભારતીયોને સલામત પરત લાવવા ઓપરેશન શરૂ, ભારત મદદનો હાથ લંબાવશે

Published By: Pravin Joshi

Last Updated: 09:48 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પડોશી દેશ નેપાળમાં ભારે પૂરના કારણે સર્જાયેલી કુદરતી હોનારતમાં મદદરૂપ થવા ભારત સરકારે માનવતા દાખવીને ટનલ રેસ્ક્યૂ ટીમ, મેડિકલ સહાય અને બેલી બ્રિજ મોકલવાની તૈયારી દર્શાવી છે.

ADVERTISEMENT

નેપાળમાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરના કારણે સર્જાયેલી ગંભીર હોનારત બાદ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં પડોશી ધર્મ નિભાવતા ભારત સરકારે નેપાળને મોટા પાયે માનવતાવાદી સહાય પૂરી પાડવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું છે કે, રાહત સામગ્રી ધરાવતા બે વિમાનો રવાના થઈ ચૂક્યા છે અને વધારાની સામગ્રી મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત, નેપાળ સરકારની વિનંતી પર ભારતે વિશેષ ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ટનલ રેસ્ક્યૂ ટીમ અને મેડિકલ સહાય

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલતા પહેલા એક રેકી ટીમ નેપાળ જશે, જે ત્યાં જરૂરી સાધન-સામગ્રી અને પરિસ્થિતિનું આંકલન કરશે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે એક વિશેષ મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તારો વચ્ચે તૂટી ગયેલા સંપર્કને પુનઃસ્થાપિત કરવા માટે ભારતે બેલી બ્રિજ (Baily Bridge) અને તેની ટેકનિકલ ટીમો મોકલવાની ઓફર કરી છે. સાથોસાથ શોધ અને બચાવ કામગીરીને વેગ આપવા NDRF ની ટીમો મોકલવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

ફસાયેલા ભારતીયો અને રેસ્ક્યૂ કામગીરીની વિગતો

નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત રીતે વતન પરત લાવવા માટે ભારત સરકાર તમામ જરૂરી પગલાં ભરી રહી છે. ગુરુવારે કાઠમંડુ પહોંચેલા 21 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે દિલ્હી આવી પહોંચ્યા છે. ત્રિશૂલી પાવર પ્રોજેક્ટમાં ફસાયેલા તમામ 63 ભારતીય નાગરિકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે.

આ પણ વાંચોઃ Nepal Flood / નેપાળમાં પૂરનું તાંડવ! પૂર્વ રેલવે મંત્રીની પુત્રવધૂ અચાનક ગુમ, 25 ઓગસ્ટથી સંપર્ક તૂટ્યો

ચીન સરહદ નજીક ફસાયેલા 93 ભારતીયો સરહદ પાર કરીને રોડ માર્ગે સલામત રીતે નેપાળ પહોંચી ગયા છે. ચીનની સરહદ તરફ ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો છે. ભારત સરકાર નેપાળી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને કોઈપણ પ્રકારની વધારાની સહાય પૂરી પાડવા માટે સજ્જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiaHelpsNepal NepalRescue NepalFloods

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ