ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈમરજન્સી માટે ઉપાડવા માગો છો PF? જાણી લો આ નિયમો

photo-story

6 ફોટો ગેલેરી

EPF Withdrawal / ઈમરજન્સી માટે ઉપાડવા માગો છો PF? જાણી લો આ નિયમો

Last Updated: 04:46 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ઈમરજન્સી, લગ્ન, શિક્ષણ કે મકાન બનાવવા માટે પીએફ ખાતામાંથી આંશિક રકમ ઉપાડવાની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે.

1/6

photoStories-logo

1. ઈમરજન્સી માટે ઉપાડવા માગો છો PF? જાણી લો આ નિયમો

મેડિકલ ઈમરજન્સી, બાળકોનું ભણતર, પરિવારમાં લગ્નપ્રસંગ કે નવું ઘર ખરીદવા માટે અચાનક નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે તમારા પીએફ (PF) ખાતાનું બેલેન્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અnotify કરાયેલા નવા ફ્રેમવર્ક હેઠળ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પીએફ ખાતામાંથી આંશિક રકમ (Partial Withdrawal) ઉપાડવાના નિયમોને અત્યંત ફ્લેક્સિબલ અને નોકરીયાત વર્ગ માટે અનુકૂળ બનાવી દીધા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જૂના 13 જટિલ નિયમો નાબૂદ: હવે માત્ર 3 સરળ કેટેગરી

અગાઉ પીએફમાંથી નાણાં ઉપાડવા માટે 13 અલગ-અલગ શરતો અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું, જેને હવે ઘટાડીને માત્ર 3 મુખ્ય સરળ શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. જેમાં એક જરૂરી વ્યાપક વિગતો (Personal Needs): ગંભીર બીમારીની સારવાર, બાળકોનું ઉચ્ચ શિક્ષણ અને પરિવારમાં લગ્ન જેવા મહત્વના પ્રસંગો માટે હોય છે. બીજું આવાસ ક્ષેત્રે જરૂરિયાતો (Housing Needs): ઘર ખરીદવા, નવું મકાન બનાવવા, ઘરનું રિનોવેશન કરાવવા કે હોમ લોનની ભરપાઈ કરવા માટે અને છેલ્લે વિશેષ પરિસ્થિતિઓ (Special Circumstances): આ સૌથી મોટી સુવિધા છે, જેમાં સભ્યો કોઈ ખાસ કારણ દર્શાવ્યા વગર પણ પોતાના પીએફ બેલેન્સમાંથી 75% સુધીની રકમ ઉપાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. સર્વિસ પિરિયડની શરત ઘટીને માત્ર 12 મહિના

અગાઉ અલગ-અલગ કારણોસર પીએફ ઉપાડવા માટે ઓછામાં ઓછી 3 થી 7 વર્ષની સળંગ નોકરી જરૂરી હતી. નવા નિયમો મુજબ મોટાભાગના એડવાન્સ ઉપાડ માટે ન્યૂનતમ સભ્યપદની મર્યાદા ઘટાડીને માત્ર 12 મહિના (1 વર્ષ) કરી દેવામાં આવી છે. ઉપરાંત, હવે મળવાપાત્ર રકમમાં માત્ર કર્મચારીનું યોગદાન જ નહીં, પરંતુ એમ્પ્લોયર (કંપની) નું યોગદાન અને બંને પર મળેલું વ્યાજ પણ સામેલ થશે, જેનાથી સભ્યોને પહેલાં કરતાં વધુ રકમ હાથમાં મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નોકરી છૂટવાના કિસ્સામાં કેવા છે નિયમો?

જો કોઈ કર્મચારીની નોકરી જતી રહે અથવા તેઓ રાજીનામું આપે તો બેરોજગાર થતાં જ કુલ પીએફ બેલેન્સના 75% રકમ તુરંત ઉપાડી શકાશે. બાકીનું 25% બેલેન્સ સતત 12 મહિના સુધી અનએમ્પ્લોયડ રહ્યા બાદ જ ઉપાડી શકાશે. (નોંધ: અગાઉ 2 મહિના બેરોજગાર રહેવા પર 100% રકમ ઉપાડી શકાતી હતી, જેમાં રોકાણકારોની ભવિષ્યની નાણાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ સુધારો કરાયો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સારવાર, શિક્ષણ અને લગ્ન માટેની મહત્તમ સીમા

બીમારીની સારવાર માટે રકમ ઉપાડવાની કોઈ નિશ્ચિત સીમા નથી. જરૂરિયાત મુજબ ગમે તેટલી વાર ક્લેમ કરી શકાય છે. સમગ્ર પીએફ સભ્યપદ દરમિયાન શિક્ષણના ખર્ચ માટે મહત્તમ 10 વખત પૈસા ઉપાડી શકાશે. પરિવારમાં લગ્નના ખર્ચ માટે સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ 5 વખત એડવાન્સ મંજૂર કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. PF પર મળી રહ્યું છે 8.25% નું ઉત્તમ વ્યાજ

હાલમાં નાણાકીય વર્ષ માટે ઈપીએફ ખાતા પર 8.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ દેશના 34 કરોડથી વધુ સભ્યોના ખાતામાં વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવી હતી. તેથી, ખાતામાં બાકી રહેતી 25% રકમ પર સભ્યોને ચક્રવૃદ્ધિ વ્યાજનો ઉત્તમ લાભ મળતો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PFWithdrawal EPFO PFNewRules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ