ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પંજાબ-હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મચી શકે નેપાળ જેવી તબાહી! જુઓ કઇ રીતે?

નેશનલ / પંજાબ-હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં પણ મચી શકે નેપાળ જેવી તબાહી! જુઓ કઇ રીતે?

Published By: Jinal Chauhan

Last Updated: 02:20 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં ગ્લેશિયલ તળાવો ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ હવે ભારત માટે પણ ચિંતા વધી છે. હિમાચલ પ્રદેશમાં હજારો ગ્લેશિયલ તળાવો આવેલા છે જેમાં કેટલાક તળાવો ઝડપથી વિસ્તરી રહ્યા છે.જો કોઈ મોટું તળાવ તૂટે તો હિમાચલથી પંજાબ સુધી પૂર અને કાટમાળની મોટી તબાહી સર્જાઈ શકે છે.

ADVERTISEMENT

નેપાળમાં ગ્લેશિયર અને ગ્લેશિયલ તળાવના કારણે થયેલી તબાહી બાદ હવે હિમાલય વિસ્તારમાં આવેલા આવા તળાવોના જોખમને લઈને ચિંતા વધી છે. હિમાચલ પ્રદેશમાં પણ મોટી સંખ્યામાં ગ્લેશિયલ તળાવો આવેલા છે.જો આમાંથી કોઈ તળાવ અચાનક તૂટે તો હિમાચલથી લઈને પંજાબના મેદાની વિસ્તારો સુધી પૂર અને કાટમાળનો ભારે ખતરો ઊભો થઈ શકે છે. કેટલાક કિસ્સામાં તેની અસર જમ્મુ-કાશ્મીર સહિત હિમાલયના અન્ય વિસ્તારો સુધી પણ જોવા મળી શકે છે. નેપાળમાં ગ્લેશિયલ તળાવો ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ હવે હિમાલયના વિસ્તારોમાં પણ ચિંતા વધી છે.હિમાચલ પ્રદેશના સતલુજ બેસિનમાં 2,292 ગ્લેશિયલ તળાવો ઓળખવામાં આવ્યા છે.આમાંથી અનેક તળાવો તિબેટમાં આવેલા હોવાથી તેમની સીધી દેખરેખ ભારત માટે મોટો પડકાર છે.જો કોઈ મોટું તળાવ તૂટે તો હિમાચલથી પંજાબ સુધી પૂર અને કાટમાળની ભારે તબાહી સર્જાઈ શકે છે.

સતલુજ બેસિનમાં 2,292 ગ્લેશિયલ તળાવો

હિમાચલ પ્રદેશ વિજ્ઞાન ટેક્નોલોજી અને પર્યાવરણ પરિષદના અભ્યાસમાં સતલુજ બેસિનમાં કુલ 2,292 ગ્લેશિયલ તળાવો ઓળખવામાં આવ્યા છે. આ અભ્યાસ 2023ની સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો હતો.આ તળાવોમાંથી 1,335 તળાવો ચીનના કબજા હેઠળના તિબેટમાં આવેલા છે. જ્યારે 470 તળાવો સ્પિતિમાં અને 487 તળાવો કિન્નૌરના ખાબથી નીચે હિમાચલના સતલુજ વિસ્તારમાં આવેલા છે.

GLACIERS-4

અડધાથી વધુ તળાવો તિબેટમાં

સતલુજ બેસિનના અડધાથી વધુ ગ્લેશિયલ તળાવો તિબેટ વિસ્તારમાં આવેલા હોવાથી ભારત માટે તેની સીધી જમીની દેખરેખ એક મોટો પડકાર છે. ત્યાંના તળાવોમાં થતા ફેરફારોની તાત્કાલિક માહિતી મેળવવી મુશ્કેલ બની શકે છે.જોકે દરેક ગ્લેશિયલ તળાવને જોખમી માનવામાં આવતું નથી. પરંતુ કેટલાક તળાવોના કદમાં સતત વધારો ચિંતાનું કારણ છે. તળાવનો કુદરતી બંધ નબળો પડે અથવા ભૂસ્ખલન અને ભૂકંપ જેવી ઘટના બને તો અચાનક પાણી બહાર આવી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''20થી 25 મિનિટમાં જ પાણી...'', નેપાળમાં ફરી જળપ્રલયનું સંકટ! સુરક્ષિત સ્થાને ખસવા વોર્નિંગ

એક તળાવ 27 હેક્ટરથી વધીને 110 હેક્ટર થયું

લાહૌલ-સ્પિતિમાં સિસ્સૂ નજીક આવેલા ચિનાબ બેસિનના ગીપનગાથ તળાવનું ક્ષેત્રફળ 1975માં લગભગ 27 હેક્ટર હતું. હવે તેનો વિસ્તાર વધીને લગભગ 110 હેક્ટર સુધી પહોંચી ગયો છે.આ તળાવની સરેરાશ ઊંડાઈ લગભગ 36 મીટર હોવાનું જણાવવામાં આવે છે. નિષ્ણાતો તળાવના વધતા કદને ગ્લેશિયર ઝડપથી પીગળવા સાથે જોડે છે. જો કોઈ કુદરતી ઘટના કારણે તેનો બંધ તૂટે તો પાણીની સાથે મોટા પ્રમાણમાં કાટમાળ પણ નીચે તરફ આવી શકે છે.

તિબેટનું તળાવ તૂટ્યું તો હિમાચલ સુધી આવશે પાણી

સતલુજ બેસિનનો મોટો હિસ્સો તિબેટમાં આવે છે. બેસિનનો લગભગ એક ચતુર્થાંશ વિસ્તાર હિમાચલ પ્રદેશમાં છે જ્યારે લગભગ ત્રણ ચતુર્થાંશ વિસ્તાર ચીનના કબજા હેઠળના તિબેટમાં છે.જો તિબેટમાં સતલુજ સાથે જોડાયેલા કોઈ મોટા ગ્લેશિયલ તળાવમાં અચાનક ફેરફાર થાય અથવા તે તૂટી જાય તો પાણી સતલુજ નદીના માર્ગે હિમાચલ સુધી આવી શકે છે. ત્યારબાદ તેનો પ્રવાહ પંજાબના મેદાની વિસ્તારો સુધી પણ પહોંચી શકે છે.

આ ચાર ગ્લેશિયલ તળાવો પર ખાસ નજર

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ હિમાચલ પ્રદેશના ચાર ગ્લેશિયલ તળાવોને સૌથી વધુ જોખમી શ્રેણીમાં ગણાવ્યા છે. તેમાં વાસુકી તળાવ ગીપનગાથ તળાવ બાસ્પા તળાવ અને કલકા તળાવનો સમાવેશ થાય છે.કિન્નૌરની સાંગલા ઘાટીમાં લગભગ 15,465 ફૂટની ઊંચાઈએ આવેલું બાસ્પા તળાવ 18.88 હેક્ટરમાં ફેલાયેલું છે. જ્યારે સતલુજ બેસિનમાં કાશંગ ગાડ પર આવેલું કલકા તળાવ લગભગ 27.89 હેક્ટરમાં ફેલાયેલું છે.

યારપાબંગ તળાવ પણ વધારી રહ્યું છે ચિંતા

કિન્નૌર જિલ્લાના સાંગલાના દેબાર કંડેમાં ઝડપથી વધી રહેલું યારપાબંગ તળાવ પણ ચિંતાનું કારણ બન્યું છે. આ તળાવ લગભગ 550 મીટર લાંબું અને 260 મીટર પહોળું હોવાનું જણાવવામાં આવે છે.જો ભૂકંપ અથવા ભારે પૂર જેવી સ્થિતિમાં આ તળાવનો કુદરતી બંધ તૂટી જાય તો પાણી બાસ્પા અને સતલુજના સંગમ નજીક આવેલા વિસ્તારોને અસર કરી શકે છે. સ્થાનિક લોકો પણ તળાવની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

હિમાચલમાં અગાઉ પણ થઈ ચૂકી છે ભારે તબાહી

સતલુજ બેસિનમાં ગ્લેશિયલ તળાવ તૂટવાથી પૂર આવવાનો ખતરો નવો નથી. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ 2000ના રોજ આવેલા પૂરમાં સતલુજનું જળસ્તર સામાન્ય કરતાં લગભગ 60 ફૂટ વધી ગયું હતું.આ પૂરમાં લગભગ 200 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે-22 પ્રભાવિત થયો હતો. 20 પુલ અને 22 ઝૂલતા પુલ ધોવાઈ ગયા હતા અને 135 લોકોના મોત થયા હતા. તે સમયે લગભગ ₹1,466 કરોડનું નુકસાન થયું હોવાનું આંકવામાં આવ્યું હતું.

2005માં પારછૂ તળાવ તૂટવાથી પણ પૂર આવ્યું

જૂન 2005માં તિબેટમાં પારછૂ તળાવ તૂટ્યા બાદ સતલુજમાં ભારે પૂર આવ્યું હતું. તેના કારણે વાંગતૂથી સમદો વચ્ચે નેશનલ હાઈવે-22નો લગભગ 10 કિલોમીટરનો ભાગ ધોવાઈ ગયો હતો.આ ઉપરાંત 10 પુલ અને 11 રોપવે પણ નાશ પામ્યા હતા. સરકારી અને જાહેર સંપત્તિને આશરે ₹610 કરોડનું નુકસાન થયું હતું. આ ઘટનાઓ બતાવે છે કે ગ્લેશિયલ તળાવ તૂટે તો તેની અસર સરહદ પારના વિસ્તારો સુધી પહોંચી શકે છે.

બચવા માટે શું કરવું જરૂરી?

નિષ્ણાતોના મતે સૌથી પહેલા ઝડપથી વધી રહેલા અને અસ્થિર ગ્લેશિયલ તળાવોની ઓળખ કરવી જરૂરી છે. ખાસ કરીને તિબેટમાં આવેલા તળાવોની સતત સેટેલાઇટથી દેખરેખ રાખવી અને તેમાં થતા ફેરફારોની માહિતી સમયસર મેળવવી જરૂરી છે.હિમાચલમાં સંભવિત પૂરનો માર્ગ નક્કી કરીને અર્લી વોર્નિંગ સિસ્ટમ વધુ મજબૂત કરવી પડશે. સાથે જ નદીના સંભવિત પૂર વિસ્તારમાં બેફામ બાંધકામ અટકાવવું પણ એટલું જ જરૂરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય આયોજનથી આવી કુદરતી આફતના નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Punjab Flood Glacial Lake Himachal Pradesh

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ