ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / ગુજરાત / ભાવનગરના સમાચાર / Fair today in the nishkalank Mahadev at Koliyak, thousands of devotees thronged
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે શ્રાવણમાસનો છેલ્લો દિવસ. તેમાં પણ અમાસ. એટલે આજના દિવસે શિવમંદિરોમાં ભક્તોની આખો દિવસ અવરજવર રહેવાની. ત્યારે આજના દિવસે વિવિધ મંદિરોમાં આ દિવસને લઇને અનોખી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ ભાવનગરના કોળિયાક ગામની. જ્યાં 5000 વર્ષ પૂર્વે સ્થાપિત થયેલા નિષ્કલંક મહાદેવના મંદિરના પ્રાંગણમાં આજે મેળો ઉજવાશે.
ADVERTISEMENT
નિષ્કલંક મહાદેવના મંદિરે આજે મેળો
આજે અમાસ હોવાથી નિષ્કંલક મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. આજના દિવસે સમુદ્ર સ્નાન તેમ જ અસ્થિ પધરાવવાનું વિશેષ મહત્વ છે. જેને લઇને આજે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરાવતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી હતી ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલું કોળિયાક ગામ અને અહીં સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લ્હાવો છે. આ શિવલિંગ પર દિવસમાં બે વખત સમુદ્રના જળથી જળાભિષેક કરવામાં આવે છે અને દિવસમાં બે વખત ઓટના સમયે લોકો અહીં દરિયામાં 1.5 કિલોમીટર ચાલીને દર્શન કરવા આવે છે. અહીં દરિયા કિનારે અનેક શિવ મંદિરો અને દેવીઓના મંદિર આવેલા છે જેમાં સૌથી પ્રાચીન મંદિર નિષ્કલંક મહાદેવનું મંદિર માનવામાં આવે છે.
ADVERTISEMENT
5000 વર્ષ પહેલા પાંડવોએ બનાવ્યુ હતું શિવલિંગ
ADVERTISEMENT
કહેવાય છે કે 5000 વર્ષ પહેલા પાંડવોએ નિષ્કલંક મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. સૌ પ્રથમ રાજા ભાવનગર સ્ટેટ પરિવાર દ્વારા અહીં ધજા ચઢાવવામાં આવી હતી. આથી અમાસના આગળના દિવસે રાજવી પરિવાર દ્વારા નિલમબાગ પેલેસ ખાતે ધ્વજ પૂજન કરીને મંદિરના પ્રતિનિધિઓને ધજા સોંપવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય પુરુષોત્તમ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર દિવ્યેશ સોલંકી પૂજા અર્ચનામાં જોડાયા હતા. સોલંકી પરિવાર દ્વારા આ પ્રસંગે ભક્તજનો માટે 2.5 ટન શિરાની પ્રસાદીનું વિતરણ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો