ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / fact check did shahrukh spit on lata mangeshkar mortal

FACT CHECK / લતા દીદીના પાર્થિવ દેહ પર સાચે થૂંકયો હતો શાહરુખ? જાણો શું છે સત્ય?

Published By: Khyati

Last Updated: 04:03 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લતા મંગેશકરનું નિધન થતા મોટી સંખ્યામાં ચાહકો શિવાજી પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા જેમાં એક શાહરુખ ખાન પણ હતો. તે વીડિયો વાયરલ થતા લોકો શાહરુખની કરી રહ્યા ટીકા

ADVERTISEMENT

  • લતા મંગેશકરનું નિધન થતા બોલિવુડ શોકમાં
  • લત્તા મંગેશકરના પાર્થિવ દેહ પર શાહરુખ થૂંક્યો હોવાની ચર્ચા 
  • શું ખરેખર  શાહરુખ ખાન થૂંક્યો હતો ? 

સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું રવિવારે 6 ફેબ્રુઆરી 2022 ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું. લતાજીને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.લગભગ એક મહિના સુધી દાખલ રહ્યા પછી, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેમનું અવસાન થયું. ચાહકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી. બોલિવુડ આખુ શોકમાં ગરકાવ થયું હતું. મોટી સંખ્યામાં લોકો લત્તાજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમાં શાહરુખ ખાન પણ સામેલ હતો. શાહરુખ ખાનનો શ્રદ્ધાંજલિ આપતો વીડિયોએ સોશિયલ મીડિયામાં ભાર ેહોબાળો મચાવ્યો છે  જેમાં લોકો કહી રહયા છે કે શાહરુખ ખાન લત્તાજીના પાર્થિવ દેહ પર થૂંક્યો. ત્યારે આવો જાણીએ શું છે સત્ય

શું હતુ વીડિયોમાં ?

સોશિયલ મીડિયામાં એક તસવીર સામે આવી છે જેમાં શાહરુખ અને તેની મેનેજર પૂજા દદલાની લતા મંગેશકરના પાર્થિવ દેહની સામે પ્રાર્થના કરી રહ્યા છે. એક વીડિયો પણ સામે આવ્યો તછે જેમાં શાહરુખ ખાન દુઆ પઢ્યા પછી માસ્ક ઉતારે છે. આ વીડિયો જોઇએ સોશિયલ મીડિયામાં યુઝર્સ શાહરુખને ટ્રોલ કરી રહ્યા છે. ગુસ્સે થઇ રહ્યા છે. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે શાહરુખે માસ્ક ઉતાર્યા બાદ લત્તાજીના પાર્થિવ શરીર પર થૂંક્યું.

 

સાચુ શું છે ? 

શાહરૂખ ખાનના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ઘણા લોકો શાહરૂખ ખાનની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે ઘણા યુઝર્સે આ ઘટના અંગે કહી રહ્યા છે કે શાહરુખ ખાને થૂંક્યુ નથી. પરંતુ  વાસ્તવમાં શાહરૂખે દુઆ પઢ્યા પછીફૂંક મારી હતી. ઇસ્લામ ધર્મમાં દુષ્ટ શક્તિઓને દૂર કરવા માટે દુઆ પઢ્યા બાદ ફૂંક મારવામાં આવે છે.

 

શાહરૂખના બચાવમાં  આવ્યા ફેન્સ

આ વાયરલ વીડિયોને લઇને ચાહકોએ શાહરુખ ખાનનો બચાવ કર્યો હતો. એક ટ્વિટમાં  યુઝરે લખ્યું, 'શાહરુખે થૂંક્યું નથી, પરંતુ ઇસ્લામ અનુસાર, તેણે ખરાબ શક્તિઓને લતાજીથી દૂર રાખવા માટે ફૂંક મારી છે. અને જો લોકો આ વિશે વાંચશે તો તેઓને સત્ય ખબર પડશે. ,

સંકળાયેલા મુદ્દાઓ

Fact Check Lata Mangeshkar Passes Away Video viral shahrukh khan થૂંક્યો ફૂંક શાહરુખ ખાન Fact Check

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ