હાલ ઉનાળાનો માહોલ જામ્યો છે ત્યારે 10 રૂપિયામાં શેરડીનો રસ પીવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે. પરંતુ આ બાબત ક્યારેક તમને હેરાન કરી શકે છે. પરંતુ બરફ વાળા શેરડીના રસનો ઉપયોગ ક્યારેક હેરાન પણ કરી શકે છે. પરંતુ જો તમે કેટલીક સાવધાનીઓ રાખશો બીમારીથી બચી શકાશે.
આપને જણાવી દઇએ કે રસ પીતા પહેલા એકવાર તપાસી લો કે શેરડીની સફાઇ યોગ્ય રીતે કરવામાં આવી છે કે નહીં. જો કે યોગ્ય રીતે સફાઇ ન કરેલ શેરડી પર ફુગ લાગેલ હોય છે. આ સાથે તમે જે શેરડીનો રસ પી રહ્યા છો તેના પર ખેતરની માટી ના લાગેલ હોય તથા લીંબુની બીજ પણ કાઢી લેવામાં આવેલ હોય. હાથ પણ સાફ-સફાઈ કરેલ હોવા જરૂરી છે.ક્યારેક તેના લીધે બીમારી પણ થઇ શકે છે.
જનરલ ફિઝિશિયનના જણાવ્યા મુજબ જો શેરડીનો રસ બનાવતી વખતે સ્વચ્છતાની કોઈ જ કાળજી ન હોય તો સાંધા રોગો હિપેટાઇટિસ ઝાડા જેવા રોગો થાય છે. ઘણી વાર જ્યાંથી તમે શેરડીનો રસ લો છો તેની ગુણવત્તા ધ્યાનમાં લેવામાં આવી નથી.
વનસ્પતિશાસ્ત્ર એક્સપર્ટના જણાવ્યાનુસાર જો શેરડીમાં લાલરંગ જોવા મળે છે આ પ્રકારની શેરડીનો રસ પીવાથી નુકસાન થઇ શકે છે. આવી શેરડીને લીધે હિપેટાઇટિસ-A ડાયરિયા અને પેટની બીમારી થઇ શકે છે. આ પ્રકારની શેરડી શરીરને નુકસાન થઇ શકે છે.