બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમને પણ અનિદ્રાની સમસ્યા છે? રાત્રે સૂતા પહેલા ખાઈ લો આ વસ્તુ, આવશે ઘસઘસાટ ઊંઘ

સ્વાસ્થ્ય / તમને પણ અનિદ્રાની સમસ્યા છે? રાત્રે સૂતા પહેલા ખાઈ લો આ વસ્તુ, આવશે ઘસઘસાટ ઊંઘ

Last Updated: 09:48 PM, 12 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારી હેલ્થ માટે રાત્રે ગાઢ ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. નહીં તો અનેક સમસ્યા થઈ શકે છે. જો તમને રાત્રે ગાઢ ઊંઘ ન આવતી હોય તો તમે રાત્રે જમ્યા બાદ નીચે જણાવેલ એક વસ્તુ ખાઓ છો તો તમને સારી ઊંઘ આવવા લાગશે.

દિવસભરના થાક બાદ સારી ઊંઘ માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. એના માટે રાત્રે સૂવાના 3 કલાક પહેલા જમી લેવું, થોડો સમય ચાલવુ કે ધ્યાન કરવાનું કહેવામાં આવે છે. અનેક લોકો આ નિયમોનું પાલન પણ કરે છે. પરંતુ ઘણા લોકો વ્યસ્ત લાઇફને કારણે આ બધું નથી કરી શકતા. જેથી રાત્રે સૂતી વખતે તેમને સારી અને ગાઢ ઊંઘ નથી આવતી. જો તમે પણ બિઝી લાઇફના કારણે આ નિયમોનું પાલન કરી શકતા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને એક એવી ખાવાની વસ્તુ જણાવીશું, જેને ખાધા બાદ તમને રાત્રે સારી ઊંઘ આવશે.

  • રાત્રિભોજન બાદ આ ખાઓ
    મોટા ભાગના લોકો રાત્રે જમ્યા બાદ કંઈક ગળ્યું ખાવાનું પસંદ કરે છે, કે પછી દૂધ પીવે છે. પરંતુ તમારે રાત્રિભોજન બાદ વરિયાળી ખાવાની ટેવ પાડવી જોઈએ. કેમ કે, વરિયાળી એક એવી વસ્તુ છે જેને રાત્રે ખાવાથી તમને સુકૂનવાળી ઊંઘ આવે છે. વરિયાળી ખાવાના બીજા ફાયદા પણ છે.
PROMOTIONAL 9
  • ઊંઘમાં સુધાર
    રાત્રે જમ્યા બાદ વરિયાળી ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે. કેટલાક લોકો રાત્રિભોજન બાદ ગેસ અને એસિડિટીથી પરેશાન રહે છે. આથી આવા લોકો જો વરિયાળીનું સેવન કરે તો તેમને રાહત મળે છે. વરિયાળી ગેસ્ટ્રિક એન્ઝાઇમ બનાવવામાં મદદ કરે છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. વરિયાળીમાં રહેલું બેટોનિન ઊંઘને ગાઢ બનાવતા હોર્મોન્સના ઉત્પાદનમાં પણ મદદ કરે છે. જેના કારણે સારી ઊંઘ આવે છે.

વધુ વાંચો : રોજ રાત્રે સૂતા પહેલા અવશ્ય કરો આ 5 કાર્ય, તણાવ કંટ્રોલમાં રહેશે, ઊંઘ પણ પૂરી થઇ જશે

  • ઘટે છે સ્ટ્રેસ લેવલ
    ઘણા લોકો રાત્રે સ્ટ્રેસથી પરેશાન રહે છે. જેથી સ્ટ્રેસથી પીડાતા લોકો માટે પણ વરિયાળી ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ અને નેચરલ ફાઈટોકેમિકલ્સ હોય છે, જે સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમે રિલેક્સ મેહસૂસ કરો છો અને રાત્રે આરામથી સૂઈ પણ શકો છો.
  • ડિટોક્સિફિકેશન
    રાત્રે વરિયાળીનું સેવન કરવાથી શરીર ડિટોક્સિફિકેશન થાય છે. બોડી ડિટોક્સિફિકેશનથી તમારી હેલ્થ સારી રહે છે અને તમારી સ્કિન પણ હેલ્થી રહે છે. આ સાથે તમે સવારે તાજગી સાથે ઉઠી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sleep Saunf Stress
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ