ફરી એકવાર દિશા વાકાણી શોમાં કમબેક કરશે તેવી ચર્ચાએ પકડ્યુ જોર, મેકર્સ સામે 3 શરતો મૂકી હોવાની સૂત્રો પાસેથી મળી માહિતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
દિશા વાકાણીની શોમા થશે એન્ટ્રી ?
મેકર્સ સામે મૂકી છે આ ત્રણ શરતો- સૂત્ર
તારકમહેતાના કા ઉલ્ટા ચશ્મા આ શોના પાત્રોને લઇને રોજબરોજ કંઇક નવી જ ચર્ચા સામે આવે છે. અત્યાર સુધીમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શૈલેષ લોઢાએ શોને ક્વિટ કરી દીધો. એક મહિનાથી તેઓ શૂટિંગ નથી કરી રહ્યા.તો બીજી તરફ શૈલેષ લોઢાએ આ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. જો કે ચર્ચાઓ એવી પણ છે કે તેઓ એક મહિનાથી શૂટિંગ માટે જઇ રહ્યા નથી. ત્યારે આ તમામ વચ્ચે દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં વાપસી કરી શકે છે તેવી ચર્ચાઓ વાયુ વેગે થઇ રહી છે.
શું દયાભાભી ફરીથી જોવા મળશે શોમાં ?
એક તરફ એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી મેટરનીટી લિવ પર ગઇ હતી અને હજી શો પર પાછી ફરી નથી. એટલે દિશા વાકાણીએ શૉ છોડ્યો તેવુ કહેવુ સંપૂર્ણપણે યોગ્ય ન ગણાય. તો શું દિશા વાકાણી હવે શોમાં વાપસી કરશે ? શું દયાબેન જેઠાલાલની જોડી ફરીથી જોવા મળશે ? આવા અનેક સવાલો મનમાં ઉઠી રહ્યા છે.
મેકર્સ સામે દિશાએ મૂકી છે 3 શરતો
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ એક એવો મીડિયો રિપોર્ટ સામે આવ્યો છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિશા વાકાણી જલ્દીથી જ શોમાં વાપસી કરી શકે છે. તેઓએ મેકર્સ સામે 3 શરત રાખી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો મેકર્સ તે ત્રણ શરતો માનશે તો જ દિશા શોમાં વાપસી કરશે.
પહેલી શરત એ છે કે દિશા વાકાણીએ પોતાની ફી વધારવાની માંગણી કરી છે. અત્યાર સુધી તે શોમાં પ્રતિ એપિસોડ 1.20 લાખથી 1.25 લાખ લેતી હતી, જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિશાએ પ્રતિ એપિસોડ 1.50 લાખની માંગણી કરી છે.
બીજી શરત એ છે કે દિશાએ કામના કલાકો ઘટાડવાનું કહ્યું છે. તેના કહેવા પ્રમાણે તે દિવસમાં માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે.
ત્રીજી અને છેલ્લી શરત એ છે કે દિશા સેટ પર દીકરી માટે નર્સરી બનાવવા માંગે છે જેથી તેની દીકરી તેની સાથે રહી શકે.
જો કે આ વાતમાં સચ્ચાઇ છે કે નહી તે વિશે કહેવુ મુશ્કેલ છે. કારણ કે સૂત્રો તરફથી આ માહિતી સામે આવી છે. અને જો આ વાત સાચી છે તો મેકર્સ આ શરતોને સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું.