ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 21 કે 22 સપ્ટેમ્બર? સર્વ પિતૃ અમાવસ્યા 2025ની સાચી તારીખ અને તર્પણનો શુભ સમય અહીં જાણો

ધર્મ / 21 કે 22 સપ્ટેમ્બર? સર્વ પિતૃ અમાવસ્યા 2025ની સાચી તારીખ અને તર્પણનો શુભ સમય અહીં જાણો

Published By: Nidhi Panchal

Last Updated: 10:28 AM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વ પિતૃ અમાવસ્યા સનાતન ધર્મમાં પિતૃઓને યાદ કરવાનો અત્યંત મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણથી પૂર્વજોને શાંતિ આપવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે.

ADVERTISEMENT

સનાતન ધર્મમાં પિતૃ પક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા થી અમાસ સુધી આ પર્વ મનાવવામાં આવે છે. આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. માન્યતા છે કે આ ક્રિયાઓથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેમની કૃપા પરિવારજનો પર વરસે છે. પિતૃ પક્ષના અંતિમ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા આવે છે. આ દિવસે પૂર્વજોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમને વિદાય આપવામાં આવે છે.

PITRU-PAKSAH-6

વૈદિક કેલેન્ડર મુજબ, આ વર્ષે અશ્વિન અમાવસ્યા 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 12:16 વાગ્યે શરૂ થશે અને 22 સપ્ટેમ્બરના રોજ સવારે 01:23 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિને આધારે 21 સપ્ટેમ્બરનાં રોજ સર્વ પિતૃ અમાવસ્યા ઉજવવામાં આવશે. આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ માટે ખાસ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યા છે. કુટુપ મુહૂર્ત સવારે 11:50 થી બપોરે 12:38 સુધી, રૂહીન મુહૂર્ત બપોરે 12:38 થી 01:27 સુધી અને મધ્યાહ્ન સમય બપોરે 01:27 થી 03:53 સુધી રહેશે.

PITRU-PAKSH-5

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા પર શુભ યોગો બની રહ્યા છે. તેમાં શુભ યોગ, શુક્લ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે. માન્યતા છે કે આવા યોગોમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓ ખાસ પ્રસન્ન થાય છે અને પરિવાર પર આશીર્વાદ વરસાવે છે.

app promo3

આ પણ વાંચો : પ્રકૃતિની ગોદમાં વિધ્નહર્તાનું અનોખું મંદિર, જમણી સૂંઢવાળા ગણપતિજીની છે અઢી ટનની મૂર્તિ

પંચાંગ

આ દિવસે પંચાંગ મુજબ સૂર્યોદય સવારે 6:09 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:19 વાગ્યે થશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 04:34 થી 05:22 સુધી, વિજય મુહૂર્ત બપોરે 02:16 થી 03:04 સુધી, સંધ્યાકાળ 06:19 થી 06:43 સુધી તથા નિશિતા મુહૂર્ત 11:50 થી 12:38 સુધી રહેશે. આ તમામ સમય પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ અને પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. સર્વ પિતૃ અમાવસ્યા એ એવો દિવસ છે જ્યારે પરિવાર પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે કરેલ પૂજા-પાઠથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને વંશજોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2025 Sarva Pitru Amavasya 2025 Amavasya Muhurat

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ