ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જાણો નવરાત્રિના કળશ વિસર્જનની વિધિથી લઇને શુભ મુહૂર્ત વિશે, એક ક્લિકમાં

Navratri 2025 / જાણો નવરાત્રિના કળશ વિસર્જનની વિધિથી લઇને શુભ મુહૂર્ત વિશે, એક ક્લિકમાં

Published By: Nidhi Panchal

Last Updated: 08:41 AM, 1 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષની નવરાત્રી ખૂબ ખાસ રહી કારણ કે 9 નહિ પરંતુ 10 દિવસ સુધી ચાલેલી હતી. હવે આ પાવન યાત્રાનો અંત કળશ વિસર્જન સાથે થવાનો છે, જેનો સમય અને રીત જાણવી અત્યંત મહત્વપૂર્ણ છે.

ADVERTISEMENT

નવરાત્રીનો અંતિમ દિવસ હંમેશા વિશેષ ગણાય છે. પરંતુ આ વખતે નવરાત્રી થોડી અનોખી બની છે. 9 નહિ પરંતુ 10 દિવસ સુધી ચાલેલી નવરાત્રીનો સમાપન આજે થવાનો છે. આવો સંયોગ લગભગ 27 વર્ષ પછી જોવા મળ્યો છે, જેના કારણે આ વર્ષની નવરાત્રી વધુ પાવન માનવામાં આવી રહી છે.

kalesh-2

નવરાત્રી દરમિયાન કળશની સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે. લોકો દેવી દુર્ગાની આરાધના માટે કળશ સ્થાપે છે અને એક અખંડ જ્યોત પ્રગટાવે છે, જે સમગ્ર નવરાત્રી દરમિયાન પ્રજ્વલિત રહે છે. હવે જ્યારે નવરાત્રીનો અંત આવી રહ્યો છે ત્યારે કળશ વિસર્જનની વિધિ કરવી જરૂરી છે. આજે કન્યા ભોજન, હવન અને કળશ વિસર્જનની તૈયારીઓ ઘરોમાં થઈ રહી છે.

kalesh

શારદીય નવરાત્રી

આ વર્ષે શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને આજે તેનો સમાપન દિવસ છે. કળશ વિસર્જન દશમી તિથિ પર કરવામાં આવે છે. પંચાંગ મુજબ દશમી તિથિ 1 ઓક્ટોબરના સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ છે અને તે 2 ઓક્ટોબરના સાંજે 7:10 વાગ્યા સુધી રહેશે. એટલે કળશ વિસર્જન માટેનો શ્રેષ્ઠ દિવસ 2 ઓક્ટોબર ગણાય છે. આ સમયમાં વિસર્જન કરવાથી ખાસ પુણ્ય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે.

app promo5

કળશ વિસર્જનની પદ્ધતિ

કળશ વિસર્જનની પદ્ધતિ બહુ સરળ છે. સૌપ્રથમ, કળશ ઉપર રાખેલો નારિયેળ ઉતારી લો અને તેને પ્રસાદ તરીકે વહેંચી દો. કળશમાં ભરેલું પાણી ઘરમાં છાંટો, જેના માટે અગાઉ મૂકેલા કેરીના પાનનો ઉપયોગ કરી શકો છો. બાકીનું પાણી છોડ પર રેડો, પરંતુ ધ્યાન રાખો કે તુલસીના છોડ પર ન રેડાય. ફૂલોની માળા અને અન્ય સામગ્રી મંદિર કે ઘરની નજીકના વૃક્ષ નીચે મૂકી શકાય છે.

આ પણ વાંચો : નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ કળશ ને અખંડ જ્યોત સાથે આટલું અવશ્ય કરજો, થશે ધનલાભની પ્રાપ્તિ

કળશ વિસર્જન સમયે એક ખાસ મંત્રનું જાપ કરવો જોઈએ, જેમાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે જો પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો તે ક્ષમા કરે. આ રીતે કળશ વિસર્જનથી નવરાત્રીની પૂજા પૂર્ણ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Kalash Visarjan Shardiya Navratri Navratri 2025

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ