ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:04 AM, 3 October 2025
ADVERTISEMENT
કોડીનાર ઉના ધોરી માર્ગ પર મજેવડી હનુમાનદાદાનું મંદિર આવેલું છે. મંદિરે આવતા દરેક ભાવિક ભક્તોને દાદાના આશીર્વાદથી મનોવાંચ્છીત ફળ મળે છે. જેને કારણે દાદાના મંદિરે શ્રદ્ધાળુઓનો પ્રવાહ નિરંતર ચાલુ રહે છે. શનિવાર, મંગળવાર અને હનુમાન જયંતિની સાથે ભાદરવી બીજના દિવસે મજેવડી હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહીને હનુમાન દાદાને સિંદૂર તેલ અને અડદનો અભિષેક કરી, આકડાના પુષ્પની માળા અને તેના પર્ણો અર્પણ કરીને હનુમાનદાદા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરે છે. મજેવડી હનુમાનદાદા સૌ ભાવિકોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી લોકોમાં એક અનન્ય આસ્થા પાછલા અનેક સૌકાઓથી પ્રચલિત બની રહી છે જે આજે આધુનિક યુગમાં પણ એટલી જ પ્રચલિત છે.
ADVERTISEMENT

પાછલા અનેક સૈકાઓથી કોડીનાર ઉના હાઇવે પર મિતીયાજ ગામના ટીંબા પર હનુમાનદાદા સ્વયંભૂ દર્શન આપી રહ્યા છે. આજે જે જગ્યા પર હનુમાનદાદાનું શિખરબંધ મંદિર છે ત્યાં વર્ષો પૂર્વે મીતીયાજ ગામ અસ્તિત્વ ધરાવતું હતું. કાળક્રમે ગામ આ વિસ્તારથી ખસીને થોડે અંદર જતું રહ્યું અને મીતીયાજ ગામના ટીંબા પર બેઠેલા મજેવડી હનુમાન દાદા જે તે સ્થળ પર કાયમ રહ્યા છે.
ADVERTISEMENT
ગામ લોકોનું શું કહેવું છે ?
ગામ લોકોની ઈચ્છા અનુસાર મજેવડી વાડીના ટીંબા પરથી હનુમાનદાદાને ધાર્મિક આસ્થા અને વિધિ વિધાન સાથે નવા બનેલા મિતિયાજ ગામમાં પુનઃસ્થાપિત કરવાના બે વખત પ્રયાસ થયા ત્યારે દિવસ દરમિયાન હનુમાનજીની પ્રતિમાને ગામમાં સ્થાપિત કરવામાં આવે તો વહેલી સવારે હનુમાનદાદા ફરીથી પરત જુના મીતીયાજ ગામના ટીંબા પર જઈને મૂર્તિ સ્વરૂપે બેઠેલા જોવા મળતા હતા. આવો પ્રયત્ન ગામ લોકોએ અત્યાર સુધીમાં બે વખત કર્યો પરંતુ હનુમાન દાદાની ઈચ્છા જૂના ગામના ટીંબા પર બેસવાની હશે જેથી ગામ લોકોએ અહીં શિખરબંધ મંદિરનું નિર્માણ કર્યું અને આજે સમગ્ર સોરઠ પંથકના હનુમાન ભક્તોમાં મજેવડી હનુમાન દાદા અનન્ય આસ્થાનુ કેન્દ્ર બની રહ્યા છે.
ADVERTISEMENT

મજેવડી હનુમાન દાદાના મંદિર નજીક યોગેશ્વર ગીતામંદિર આવેલું છે. જ્યાં દશૈય અવતાર દેવી-દેવતાઓની મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલી છે. સાથે સાથે આ વિસ્તારમાં સતયુગના સમયમાં વિચરણ કરીને ધર્મ સાથે જોડાયેલા ઋષિમુનિઓની પ્રતિમાઓ પણ આ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી છે.
ADVERTISEMENT
ઋષિમુનિઓ દ્વારા જે દેવસ્થાનકોમાં વિચરણ કરીને ત્યાં તપ આરાધના અને ભક્તિની સાથે ભગવાનની પૂજા અર્ચના કરી હોય તેવા સ્થળ પર તેમની પ્રતિમાઓ મુકવાની પરંપરા આજે પણ જોવા મળે છે, જેને લઈને યોગેશ્વર ગીતા મંદિરમાં પણ દશૈય અવતાર દેવી દેવતાઓની સાથે કેટલાક ઋષિ મુનિઓની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. જે આ મંદિર અનેક સૌકાઓ પૂર્વે બન્યું હશે તેનું પ્રમાણ આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો