ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:35 AM, 24 October 2025
ADVERTISEMENT
લાભ પંચમી દર વર્ષે દિવાળી પછી પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને ખાસ કરીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે ખૂબ મહત્વનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ખાતાવહી અને હિસાબના રેકોર્ડની પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે પૂજા કરવાથી ભક્તના જીવનમાં સૌભાગ્ય અને ધન સમૃદ્ધિ વધે છે. આ દિવસ કોઈપણ નવા કાર્યની શરૂઆત માટે પણ ખુબજ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 26 ઓક્ટોબર, રવિવારના રોજ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 3:48 વાગ્યે શરૂ થશે અને 27 ઓક્ટોબર સવારે 6:04 વાગ્યે પૂર્ણ થશે. આ સમયગાળા દરમિયાન પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ADVERTISEMENT
આ દિવસે નવા હિસાબ-કિતાબ ખોલવા માટે વિશેષ શુભ સમય માનવામાં આવે છે. વેપારીઓ પોતાના ચોપડાઓ પર સ્વસ્તિક ચિહ્ન અને શુભ લક્ષ્મી ચિહ્ન બનાવીને નવા ખાતા ખોલે છે. ઘણા ભક્તો ઉપવાસ પણ રાખે છે. માન્યતા અનુસાર, આ દિવસની પૂજા કરવાથી વ્યાવસાયિક વૃદ્ધિ, ધન સમૃદ્ધિ, પરિવારમાં શાંતિ અને સુખ, તેમજ તમામ દુઃખ દૂર થાય છે. નવા કાર્ય, દુકાન, કચેરી અથવા કારખાનાનું ઉદ્ઘાટન કરવા માટે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
લાભ પંચમીના દિવસે વહેલા ઊઠીને સ્નાન કરવું અને સૂર્યદેવને નમસ્કાર કરવું જરૂરી છે. પછી પૂજા સ્થળે ભગવાન ગણેશ, ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો. ભગવાન ગણેશને ચંદન, સિંદૂર, ફૂલો અને દુર્વા અર્પણ કરો. ભગવાન શિવને બેલના પાન, ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરો. સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીને હલવો, પુરી અને ફૂલો અર્પણ કર્યા પછી આરતી કરો. પૂજા બાદ પ્રસાદનું વિતરણ કરો.
ADVERTISEMENT
લાભ પંચમી એ માત્ર ધન અને વ્યવસાય માટેનું દિવસ નથી, પણ આ દિવસ ભક્તને આધ્યાત્મિક શાંતિ અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. વેપારીઓ અને ભક્તો આ દિવસે સંપૂર્ણ ભક્તિ અને વિધિવત પૂજા કરીને આવનારા વર્ષમાં સફળતા અને લાભની પ્રાપ્તિની આશા રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો