ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / શનિ-રાહુ-કેતુ! ત્રણ તિકડીના અશુભ પ્રભાવથી બચવા કાર્તિક પૂર્ણિમાએ આટલું જરૂર કરો

ધર્મ / શનિ-રાહુ-કેતુ! ત્રણ તિકડીના અશુભ પ્રભાવથી બચવા કાર્તિક પૂર્ણિમાએ આટલું જરૂર કરો

Published By: Nidhi Panchal

Last Updated: 09:28 PM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ શનિ, રાહુ કે કેતુના અશુભ પ્રભાવોથી પરેશાન છો? તો આવનારી કાર્તિક પૂર્ણિમા તમારા માટે જીવન બદલાવનારી સાબિત થઈ શકે છે! જાણો, આ દિવસે કયા ખાસ ઉપાયોથી ગ્રહદોષ થઈ શકે છે દૂર…

ADVERTISEMENT

હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક પૂર્ણિમાનો દિવસ અત્યંત શુભ અને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા અથવા દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2025માં આ શુભ તિથિ 5 નવેમ્બરના રોજ આવી રહી છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ દિવસે કરવામાં આવતા ઉપાયોથી શનિ, રાહુ અને કેતુ જેવા ગ્રહોના અશુભ પ્રભાવ ઓછા થાય છે. ખાસ કરીને તેઓ માટે આ દિવસ મહત્વપૂર્ણ છે, જેઓ હાલમાં શનિની સાડેસાતી, ધૈયા અથવા મહાદશાના પ્રભાવ હેઠળ છે.

Lord Vishnu

આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. જો વ્યક્તિ શિવલિંગ પર પાણી, દૂધ અને બિલીપત્ર અર્પણ કરે, તો શનિ તથા રાહુ-કેતુના દોષ શાંત થાય છે. શનિદેવ પોતે ભગવાન શિવના પરમ ભક્ત છે, તેથી શિવની ઉપાસના કરવાથી શનિની કૃપા મળે છે. "ૐ નમઃ શિવાય" મંત્રનો 108 વખત જાપ કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે.

છાયાનું દાન

જ્યોતિષશાસ્ત્ર મુજબ, કાર્તિક પૂર્ણિમાના દિવસે છાયાનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલથી ભરેલો પાત્ર શનિ મંદિરમાં અર્પણ કરવો જોઈએ. આ ઉપાયથી સાડેસાતી અને ધૈયાની અસર ધીમે ધીમે ઓછી થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

shani-final

શનિદેવને પ્રસન્ન કરવાનો બીજો અસરકારક ઉપાય છે હનુમાનજીની પૂજા. કાર્તિક પૂર્ણિમાના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાનજીના ભક્તો પર શનિદેવ ક્યારેય રોષ નથી કરતા. તેથી આ દિવસે હનુમાનજીની ભક્તિપૂર્વક ઉપાસના અને ચાલીસાનો પાઠ કરવો અત્યંત લાભદાયક છે.

vtv app promotion

રાહુની મહાદશા અથવા પ્રતિકૂળ અસરથી પીડાતા લોકોને આ દિવસે બિલાડીને દૂધ અથવા રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુની નકારાત્મક શક્તિ ધીમે ધીમે ઘટી જાય છે અને જીવનમાં શાંતિ આવે છે. સાંજે દીપદાન કરવું પણ આ દિવસની સૌથી પવિત્ર પરંપરાઓમાંની એક છે. નદી, તળાવ કે મંદિર પરિસરમાં દીવો પ્રગટાવવાથી ગ્રહોના અશુભ પ્રભાવો દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સાથે જ કાગડાને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે, જે રાહુ, કેતુ અને શનિના નકારાત્મક પ્રભાવને ઘટાડે છે.

આ પણ વાંચો : Kartik Purnima 2025: પુણ્ય કમાવવાનો દિવસ, આ મુહૂર્ત સાચવી કરો પૂજા વિધિ, પાપ ધોવાશે

આ રીતે કાર્તિક પૂર્ણિમાનો દિવસ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ જ્યોતિષીય રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ગ્રહદોષ શાંત થાય છે અને જીવનમાં નવી ઉર્જા, સુખ અને સમૃદ્ધિનું આગમન થાય છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shani dosh remedies Kartik Purnima 2025 Rahu Ketu effects

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ