ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:22 PM, 4 November 2025
ADVERTISEMENT
હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તિક મહિનાની પૂર્ણિમા તિથિ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે દેવ દીપાવલી તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સ્વર્ગના દેવતાઓ પણ પૃથ્વી પર ઉતરીને દીવો પ્રગટાવે છે. કાર્તિક પૂર્ણિમાનો આ તહેવાર માત્ર પૂજા પૂરતો નથી, પરંતુ ભક્તિ, દાન અને આત્મશુદ્ધિનો અદભૂત મેળ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વર્ષે કાર્તિક પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બર 2025, મંગળવાર રાત્રે 08:42 વાગ્યે શરૂ થશે અને 5 નવેમ્બર 2025, બુધવાર સાંજે 06:15 વાગ્યા સુધી રહેશે. પૂજા અને સ્નાન માટે શુભ મુહૂર્ત 5 નવેમ્બર ની સવારનું રહેશે. આ દિવસ તુલસી વિવાહ અને દેવ દીપાવલી બંને માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

ADVERTISEMENT
કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું શુભ ગણાય છે. જો શક્ય હોય તો ગંગા અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. તુલસીના છોડને જળ અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. દીપદાનનું આ દિવસે અત્યંત મહત્વ છે – ઘરમાં, મંદિરમાં તથા નદી કિનારે દીવો પ્રગટાવવાથી જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ વધે છે. ઉપવાસ રાખનાર વ્યક્તિએ દિવસભર ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને તુલસી વિવાહની કથા સાંભળવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણા લોકો હિન્દીમાં પણ શુભેચ્છા મોકલે છે જેમ કે –
“दीवों का प्रकाश आपके जीवन को उज्जवल करे, हर इच्छा पूरी हो – कार्तिक पूर्णिमा की शुभकामनाएं!”
“देव दीपावली का यह पावन दिन आपके जीवन में खुशहाली और समृद्धि लाए!”
આ પણ વાંચો : ઘરે નોટોની થપ્પીઓ વાગશે! શુક્ર બુધની યુતિ આ 3 રાશિના જાતકોને આપશે છપ્પરફાડ રૂપિયા
કાર્તિક પૂર્ણિમા એ દાન, કરુણા અને પ્રકાશનો સંદેશ આપે છે. માનવામાં આવે છે કે આ દિવસે પ્રગટાવેલો એક દીવો પણ જીવનના અંધકારને દૂર કરે છે. તે ભક્તિને મજબૂત બનાવે છે અને મનમાં નવી ઉર્જા ભરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો