કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકો પરેશાન થઇ ગયા છે, જ્યાં એક તરફ લૉકડાઉન ચાલી રહ્યુ છે તો બીજી તરફ લોકોને ખાવા-પીવામાં પણ ફાંફા પડી રહ્યા છે. જોકે આ મહામારીની સામે લડવા સૌ કોઇ આગળ આવી રહ્યા છે. બોલિવુડ સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે અને તેમણે મોટી રકમ દાન કરી છે.
આ દરમિયાન ફિલ્મમેકર સુભાષ ઘાઇએ પોતાની લેટેસ્ટ ટ્વીટમાં પીએમ મોદીને સવાલ કર્યો છે. ટ્વીટમાં સુભાષ ઘાઇએ હાલના સમયનો ઉલ્લેખ કર્યો જેના મારથી આખી દુનિયા અને ભારત ખરાબ રીતે અસરગ્રસ્ત થયુ છે. સુભાષ ઘાઇએ સવાલ કર્યો કે, શું તમામ મંદિરોએ સરકારને ફંડ દાનમાં આ આપવુ જોઇએ.
સુભાષ ઘાણીએ ટ્વિટમાં લખ્યુ કે, શું આપણા ભગવાનના મંદિરો પાસે જવાનો આ યોગ્ય સમય નથી ? ખૂબ સોનું ધરાવતા સંપન્ન મંદિરોએ સરકારની મદદ કરવી જોઇએ અને પોતાનું 90 % સોનુ લોકોની મદદ માટે દાન કરવુ જોઇએ. તમને આ બધઉ ફકત ભગવાનના નામે જ લોકો પાસેથી મેળવ્યુ છે ને? આ સિવાય ફિલ્મમેકર પ્રધાનમંત્રીને કાર્યાલયને ટેગ કર્યુ છે.
I feel pained n sorry to know that I have been misunderstood thru my tweet by few people.
When I said Rich temples I meant temples of all gods of all religions. Not a particular one. It was pure a thought on universal human ground. My apologies if any one is hurt. 🙏🏽
ઉલ્લેખનીય છે કે, સુભાષ ઘાઇને મોટાભાગના લોકો સમર્થન આપી રહ્યા છે. આ સાથે જ ચર્ચ અને મજિસ્દોને પણ આમ કરવા માટે કહી રહ્યા છે તો ઘણા લોકોએ સુભાષ ઘાઇને આડેહાથે લઇને તેમની ટીકા કરી છે.