ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 28 ઓગસ્ટે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ, સવારે 9:43 વાગ્યે પીક ટાઈમ,ભારતમાં નહીં દેખાય ?

photo-story

6 ફોટો ગેલેરી

Chandra Grahan 2026 / 28 ઓગસ્ટે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ, સવારે 9:43 વાગ્યે પીક ટાઈમ,ભારતમાં નહીં દેખાય ?

Last Updated: 02:24 PM, 27 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Chandra Grahan 2026: વર્ષનું બીજું અને અંતિમ આંશિક ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ, 2026ના રોજ શ્રાવણી પૂર્ણિમા (રક્ષાબંધન)ના દિવસે થવાનું છે. કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં થનારું આ ગ્રહણ સવારે 6:55 થી બપોરે 12:30 વાગ્યા સુધી ચાલશે અને સવારે 9:43 વાગ્યે તે તેની ચરમસીમા પર હશે.

1/6

photoStories-logo

1. 'પંચક' કાળ અને ચંદ્રગ્રહણનો આ દુર્લભ સંયોગ

વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, જે 28 ઓગસ્ટ, 2026ના રોજ થવાનું છે, તે ધાર્મિક અને ખગોળીય બંને દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે શ્રાવણી પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે, અને સાથે જ આ ચંદ્રગ્રહણ 'અગ્નિ પંચક' તરીકે ઓળખાતા સમયગાળા દરમિયાન થશે. એક જ દિવસે તહેવાર, 'પંચક' કાળ અને ચંદ્રગ્રહણનો આ દુર્લભ સંયોગ લોકોના મનમાં અનેક પ્રશ્નો અને આશંકાઓ જગાડી રહ્યો છે. જેમ કે, શું ગ્રહણ સાથે સંકળાયેલો 'સૂતક' કાળ લાગુ પડશે અને શું ગ્રહણ હોવા છતાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવો જોઈએ? લોકો આ બાબતોને લઈને ધાર્મિક દ્વિધાનો સામનો કરી રહ્યા છે. તો આવો, ચંદ્રગ્રહણ સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કાલે અને કેટલા વાગે લાગશે વર્ષનું છેલ્લુ ચંદ્ર ગ્રહણ

પંચાંગ અનુસાર 28 ઓગસ્ટે સવારે 6:55 વાગ્યે ચંદ્રગ્રહણની શરૂઆત થશે. જોકે તેનો આંશિક તબક્કો સવારે 8:04 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મહત્તમ તબક્કો સવારે 9:43 વાગ્યે રહેશે અને બપોરે 12:30 વાગ્યે ગ્રહણ સમાપ્ત થશે. આ સમગ્ર ઘટના દરમિયાન પૃથ્વીની છાયા ચંદ્રના એક ભાગ પર પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શું ભારતમાં દેખાશે આ ચંદ્ર ગ્રહણ?

આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે તે ભારતમાં દેખાશે નહીં. પશ્ચિમ એશિયાના કેટલાક વિસ્તારો ઉપરાંત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં આ ખગોળીય ઘટના જોવા મળી શકે છે. જે સ્થળોએ ગ્રહણ દેખાય છે ત્યાં ધાર્મિક માન્યતા પ્રમાણે ગ્રહણના લગભગ 9 કલાક પહેલાં સૂતકકાળ શરૂ થાય છે.પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું ન હોવાથી અહીં સૂતકકાળ માન્ય રહેશે નહીં. એટલે ભારતમાં રહેતા લોકોએ ગ્રહણના કારણે પોતાના સામાન્ય ધાર્મિક કે શુભ કાર્યો રોકવાની જરૂર રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૂતક કાળનો નિયમ

જ્યોતિષી મુજબ, ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં તેથી અહીં સૂતકકાળ માન્ય નહીં ગણાય. સામાન્ય લોકો માટે ગ્રહણના કારણે પોતાના દૈનિક કામકાજ અથવા શુભ કાર્યો અટકાવવાની જરૂર નથી. જોકે કોઈ વ્યક્તિ પરંપરાગત ધાર્મિક નિયમોનું પાલન કરવા માંગતી હોય તો પોતાની આસ્થા પ્રમાણે મંત્રજાપ, પૂજા અને સ્નાન કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રક્ષાબંધન પર ગ્રહણની અસર

28 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર પણ મનાવવામાં આવશે અને આ જ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. જોકે ભારતમાં ગ્રહણ દેખાશે નહીં અને તેથી રક્ષાબંધન પર તેનો કોઈ ખાસ ધાર્મિક પ્રતિબંધ માનવામાં આવતો નથી.રક્ષાબંધન માટે મુખ્યત્વે ભદ્રાકાળનું ધ્યાન રાખવામાં આવે છે. આ વખતે 28 ઓગસ્ટે ભદ્રાની અડચણ નહીં રહે. ચંદ્રગ્રહણ ભારતમાંથી દેખાશે નહીં હોવાથી તેનો સૂતક પણ અહીં માન્ય રહેશે નહીં. તેથી બહેનો પોતાની અનુકૂળતા અને શુભ સમય પ્રમાણે ભાઈને રાખડી બાંધી શકશે.અર્થાત્ ભારતમાં રક્ષાબંધનના તહેવાર પર ચંદ્રગ્રહણને કારણે કોઈ ખાસ અડચણ માનવામાં આવતી નથી. લોકો રક્ષાબંધનનો તહેવાર સામાન્ય રીતે અને ઉત્સાહપૂર્વક ઉજવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું?

જે સ્થળોએ ચંદ્રગ્રહણ દેખાય છે ત્યાં ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન ભગવાનનું સ્મરણ કરવું અને મંત્રજાપ કરવો શુભ માનવામાં આવે છે. વ્યક્તિ પોતાના આરાધ્ય દેવનું ધ્યાન કરી શકે છે અને ધાર્મિક ગ્રંથોનું વાંચન પણ કરી શકે છે.આ દરમિયાન મહામૃત્યુંજય મંત્ર, ચંદ્રદેવના મંત્ર, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠની પરંપરા પણ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ અથવા ભગવાનના નામનો જાપ પણ કરી શકાય છે. આ તમામ બાબતો ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

timing visibility in india sutak kal niyam chandra grahan 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ