બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Big decision of Mowdi Mandal to do damage control in Rajkot

લોકસભા ચૂંટણી 2024 / પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર, રૂપાણી જૂથની થઈ એન્ટ્રી

Vishal Khamar

Last Updated: 11:59 AM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 17 દિવસથી સમગ્ર રાજ્યમાં રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર દ્વારા કરેલ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો. તેમજ ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ ભાજપનાં કોઈ નેતાઓ નજીક ન આવતા મોવડી મંડળ દ્વારા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા જ ભાજપ-કોંગ્રેસ દ્વારા પોત પોતાનાં ઉમેદવાર જાહેર કરતા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. થોડા સમય પહેલા ભાજપનાં રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રૂપાલા વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા મોવડી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. 

રૂપાલા ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી મળી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રહેતા ક્ષત્રિય સમાજનાં લોકોમાં પરશોત્તમ રૂપાલાએ કરેલ નિવેદનને લઈ રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લેતા ગત રોજ પરશોત્તમ રૂપાલા દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ મોવડી મંડળ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટીમમાં મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની પ્રચાર ટીમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથને એન્ટ્રી મળી છે.  રૂપાલાનાં વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા.જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવાયો હતો. રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરાઓ જોવા મળશે. આજે રૂપાલા સુરત ખાતે કાર્યક્રમમાં ભાગ લેશે. 

ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથીઃ વિજય રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી)
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ રાજકોટમાં પરશોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પ્રચાર દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે જોવા મળ્યા હતા. તેમજ વિજય રૂપાણીએ ગત રોજ નિવેદન આપ્યું હતું કે,  ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈપણ પડકાર નથી. આઝાદી પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. તાજેતરમાં ત્રણ જેટલા સીટીંગ MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બે કોંગ્રેસના MP અને એક આમ આદમી પાર્ટીનાં MP ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. 

વધુ વાંચોઃ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માગ સાથે ધંધુકામાં ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા 'ક્ષત્રિય અસ્મિતા સંમેલન'નું આયોજન

પરશોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ
રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Parshottam Rupala Team Changes rajkot vijay rupani ટીમમાં ફેરફાર પરશોત્તમ રૂપલા મોટો નિર્ણય રાજકોટ વિજય રૂપાણી Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ