ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:15 PM, 6 October 2025
ADVERTISEMENT
જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. 28 નવેમ્બર, 2025ના રોજ શનિદેવ મીન રાશિમાં સીધા પ્રવેશ કરશે. જ્યોતિષ મુજબ શનિની સીધી ચાલે કેટલાક રાશિજન માટે નવા અવસર, સફળતા અને સમૃદ્ધિ લાવવાની છે. માનવામાં આવે છે કે આ ગતિ કારકિર્દી, નોકરી, નાણાંકીય બાબતો અને પારિવારિક જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT

વૃષભ રાશિના જાતકો માટે આ સમય વિશેષ મહત્વનો રહેશે કારણ કે શનિ દસમા ભાવમાં રહેશે. કારકિર્દીમાં મોટી સફળતા, પ્રમોશનની શક્યતાઓ અને જૂના રોકાણોમાંથી ફાયદો મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને કાર્યસ્થળે સન્માન વધશે. જો સંયમ અને ધીરજ રાખશો તો લાંબા ગાળે ઉત્તમ પરિણામ મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તુલા રાશિના જાતકો માટે શનિ છઠ્ઠા ભાવમાં રહેશે, જે શત્રુઓ અને મુશ્કેલીઓથી મુક્તિ આપશે. જો લાંબા સમયથી દેવું કે અવરોધોનો સામનો કરી રહ્યા હો, તો હવે રાહત મળશે. નોકરી અને વ્યવસાયમાં નવી તકો મળશે, આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

ADVERTISEMENT

ADVERTISEMENT
ધનુ રાશિના લોકો માટે શનિ ચોથા ભાવમાં સીધી ગતિમાં રહેશે. ઘરમાં શાંતિ અને આનંદ વધશે. પરિવાર સાથેના સંબંધો મજબૂત બનશે. મિલકત, ઘર અથવા વાહન સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. નાણાકીય લાભની શક્યતા પણ વધશે.
આ પણ વાંચો : 20 કે 21 ઓક્ટોબર? ક્યારે છે દિવાળી, જાણો ધનતેરસથી લઇને ભાઇબીજ સુધીની તારીખ

મીન રાશિના જાતકો માટે શનિ લગ્ન ભાવમાં સીધી ચાલ કરશે. આત્મવિશ્વાસ અને ઉર્જામાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. કલા, સંગીત અને સર્જનાત્મક ક્ષેત્રે સફળતા અને ઓળખ મળશે. નવી દિશામાં આગળ વધવા માંગતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો