પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તરફથી આત્મનિર્ભર ભારત અભિયાન અને તેના માટે 20 લાખ રૂપિયાની આર્થિક પેકેજની જાહેરાત પર સતત ચર્ચાઓ થઇ રહી છે. પીએમની જાહેરાત પછી ઘણા લોકો ખુશ થયા, તો ઘણા લોકોએ ટીકા કરી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક પગલુ આગળ વધતા કહી દીધુ કે, આત્મનિર્ભર ભારત કંઇ છે નહી, મેક ઇન ઇન્ડિયા છે જેને રી પેકેજિંગ કરીને નામ આપી દીધુ છે. થરૂરના આ નિવેદન પર એક્ટર અનુપમ ખેરે ટિપ્પણી કરી છે.
આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત પર શશિ થરૂર અને અનુપમ ખેર એકબીજા કર્યા આક્ષેપ
શશિ થરૂરે કહ્યુ કે, મેક ઇન ઇન્ડિયા હવે આત્મનિર્ભર ભારત થઇ ગયુ
શશિ થરૂરે આત્મનિર્ભર ભારતના અભિયાનને મેક ઇન ઇન્ડિયા અભિયાન ગણાવ્યુ છે. તેમણે પોતાના શાયરાના અંદાજમાં પીએમ મોદીની ટીકા કરતા ટ્વીટ કર્યુ કે,''नए नाम से वही पुराना शेर बेच गए, सपनों के वो फिर से ढेरों ढेर बेच गए...' थरूर ने आखिर में पूछा कि मेक इन इंडिया अब आत्मनिर्भर भारत हो गया, कुछ और भी नया था क्या?''
कोहनी पर टिके हुए लोग,
टुकड़ों पर बिके हुए लोग!
करते हैं बरगद की बातें,
ये गमले में उगे हुए लोग !! :) https://t.co/Dcnjesrh5U
અનુપમ ખેરે શશિ થરૂરના ટ્વીટને રિટ્વીટ કરીને શાયરા જ અંદાજમાં જવાબ આપ્યો હતો. અનુપમ ખેરે લખ્યુ કે, 'कोहनी पर टिके हुए लोग, टुकड़ों पर बिके हुए लोग! करते हैं बरगद की बातें, ये गमले में उगे हुए लोग!!'. જોકે ટ્વીટ પર છેલ્લે અનુપમ ખેરે સ્માઇલી મૂકીને વાતાવરણ થોડું હલ્કુ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
PM મોદીએ કરી 20 લાખ કરોડના પેકેજની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંકટના વચ્ચે ચોથી વખત રાષ્ટ્રના નામ પર સંબોધન કરીને આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, સરકારે આ માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લાવી રહ્યુ છે. PM નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ બધુવારથી આગામી કેટલાક દિવસોમાં માટે ચરણબદ્ઘ તરીકે પેકેજના વિસ્તુત જાણકારી દેશની સામે રાખશે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 20 કરોડ આ આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજ દેશની કુલ GDP ના લગભગ 10 % છે.