બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:06 AM, 24 March 2026
આગામી સમયમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે, કારણ કે એરલાઈન કંપનીઓ ટિકિટના ભાવ વધારી શકે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના કારણે ફ્યુઅલના ભાવ વધવા લાગ્યા છે. સરકારે સંકેત આપ્યા છે કે 1લી એપ્રિલથી એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના ભાવ વધી શકે છે, જેના કારણે હવાઈ ભાડું વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ATFના ભાવ દર મહીનાની પહેલી તારીખે બદલાય છે એટલે 1 એપ્રિલથી વધારો થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ અસર ઓછી કરવા માટે એરલાઈન્સ સાથે ચર્ચા ચાલી રહી છે. ઈરાન-ઇઝરાયેલ અને અમેરિકાના તણાવને કારણે કાચા તેલના ભાવ વધતા ઈંધણ પણ મોંઘું થઈ રહ્યું છે.

ADVERTISEMENT
સરકારના જણાવ્યા મુજબ એરલાઇન કંપનીઓ પર આર્થિક દબાણ વધી રહ્યું છે. સરકાર ઈચ્છે છે કે ફ્લાઈટ્સ સલામત અને સતત ચાલુ રહે જેથી મુસાફરો પર તરત જ વધારાનો ભાર ન પડે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલના સપ્લાયમાં અડચણો આવી રહી છે અને કેટલાક હવાઈ માર્ગો પણ મર્યાદિત કરવામાં આવ્યા છે. તેના કારણે એરલાઇન કંપનીઓ માટે ઈન્શ્યોરન્સ અને ઓપરેશનલ ખર્ચ વધ્યો છે.
ADVERTISEMENT
વૈશ્વિક સ્તરે તેલના ભાવ વધતા ATFનો ખર્ચ પણ વધવાની શક્યતા છે જે એરલાઇનના કુલ ખર્ચમાં મોટો ભાગ હોય છે. છતાં સરકારે ખાતરી આપી છે કે ટિકિટના ભાવમાં અચાનક મોટો વધારો ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ કહ્યું છે કે કંપનીઓને મુશ્કેલી હોવા છતાં મુસાફરોના હિતનું રક્ષણ કરવું સૌથી મહત્વનું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 94.03 પ્રતિ ડોલરના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો રૂપિયો, આજે 50 પૈસા ઘટ્યો
ADVERTISEMENT
વધતા ખર્ચને પૂરો કરવા માટે એર ઇન્ડિયા અને અકાસા એર જેવી કંપનીઓએ ફ્યુઅલ સરચાર્જ લગાવવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિગોએ અંતર મુજબ 425 રૂપિયા થી 2300 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લગાવ્યો છે. અકાસા એર ફ્લાઈટના સમય (ડ્યુરેશન) પ્રમાણે 199 રૂપિયા થી 1300 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ લઈ રહી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે હાલની વૈશ્વિક પરિસ્થિતિને કારણે કાચા તેલ અને ATFના ભાવ વધવા લગભગ નિશ્ચિત છે. પરંતુ સરકારનો પ્રયત્ન છે કે ટિકિટના ભાવે અચાનક મોટો વધારો ન થાય.
ADVERTISEMENT
(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.