ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના અમરાઈવાડીમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની કરી હત્યા, બહેનનો સંસાર ઉજાડી દીધો

ક્રાઈમ / અમદાવાદના અમરાઈવાડીમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની કરી હત્યા, બહેનનો સંસાર ઉજાડી દીધો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 07:28 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે જ એક શખ્સે તેના દોસ્તો સાથે મળીને તેના સગા બનેવીની હત્યા કરી નાખી હતી.

ADVERTISEMENT

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રક્ષાબંધનના દિવસે જ સાળાએ બનેવીની હત્યા કરી. પત્ની રિસાઈને પિયર જતા તેને મનાવવા ગયેલા બનેવી અને સાળાના પરિવાર વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. આરોપીઓએ મેટ્રો પિલર પાસે રસ્તો રોકી બનેવી પર છરીથી હુમલો કરી હત્યા કરી હતી. અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી એક સગીર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મેટ્રોના પિલર પાસે સાળાએ કરી હત્યા

રક્ષાબંધનની રાત્રે રિસાઈને ગયેલી પત્નીને મનાવવા માટે રણજીત અહેરવાલ અમરાઇવાડી ગયા હતા ત્યારે પત્ની શ્વાતીના પરિવાર સાથે ઝઘડો થયો હતો આ ઝઘડો અને બોલાચાલી બાદ રણજીત અને તેના પરિવારજનો ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ થોડે દૂર મેટ્રો પિલર 51 પાસે તેમના સાળાઓએ તેનો રસ્તો રોકી દીધો હતો આ દરમિયાન સાળા રજત ઉર્ફે અજ્જુ જાટવ, કરણ જાટવ, ચંદન જાટવ અને સગીરએ મૃતક રણજિત પર છરીથી હુમલો કર્યો ત્યારે મૃતકના ભાઈઓ બચાવવા વચ્ચે પડતા ભાઈઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં રણજીતને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન રણજીતનું મોત થયું હતું.. જ્યારે તેમના બે ભાઈઓ અમરજીત અને કરણ અહેરવાલ ઇજાગ્રસ્ત થયા હતા..અમરાઇવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી એક સગીર અને કરણ જાટવની ધરપકડ કરી છે.

વધુ વાંચો : ગુજરાતમાં ભાજપ નેતાએ જ રક્ષાબંધનના દિવસે સાડીથી ગળેફાંસો ખાધો, દીકરીઓનો તહેવાર માતમમાં ફેરવાયો

રક્ષાબંધનની રાતે વિવાદ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રણજિત અહેરવાલના લગ્ન શ્વાતી જાટવ સાથે થયા હતા તેમને એક સંતાન હતું.. રણજિત ના ભાઈ કરણની સગાઈ શ્વાતીની કાકા દીકરી સાથે થઈ હતી.. પરંતુ 3 મહિના પહેલા અગમ્ય કારણસર આ સગાઈ તૂટી ગઈ હતી.. જેનો વિવાદ થતા કરણએ પોતાની ભાભી શ્વાતીને બે લાફા મારી દીધા હતા..જેથી ભાભી ઘર છોડીને પિયર જતી રહી હતી.. જેના સમાધાન માટે પરિવાર રક્ષાબંધનની રાતે મળ્યો હતો પરંતુ ઝઘડો ઉગ્ર થતા સાળાઓએ રક્ષાબંધનના દિવસે જ બનેવીની હત્યા કરીને બેનનું ઘર ઉજાળી દીધું હતું. બનેવીની હત્યાની ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે કિશોર અને કરણની ધરપકડ કરી છે રે રજત ઉર્ફે અજ્જુ અને ચંદનની શોધખોળ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ