ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આમિર ખાન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લઈને ભારે વિવાદોના કારણે ચર્ચામાં છે. એક્ટર ફિલ્મ માટે ફટાફટ પ્રમોશનમાં લાગેલો છે. રિલીઝ પહેલા જ વિવાદનો ભાગ બનેલી આમિર ખાનની ફિલ્મ ટ્વિટર પર બોયકોટ કરવાની વાત વાયુ વેગે ફેલાઈ છે. આ ટ્રેંડ છેલ્લા કેટલાય દિવસથી ટ્વિટર પર ચાલી રહ્યો છે, જેના પર હવે આમિર ખાને પોતાનું રિએક્શન આપ્યું છે. તો આવો જાણીએ આમિર ખાને મૌન તોડીને શું કહ્યું છે.
હાલમાં જ દિલ્હીમાં એક મીડિયા ઈન્ટરવ્યૂમાં આમિર ખાને પોતાની ફિલ્મના બોયકોટ પર કેટલીય વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે, હું કોઈનું દિલ દુખાવા નથી માગતો. જેમને પણ મારી ફિલ્મ નથી જોવી, તેમની વાતો અને લાગણીઓની હું ઈજ્જત કરું છું. આનાથી વધારે હું શું કહી શકું. પણ હું એટલું ચોક્કસથી કહીશ કે એક ફિલ્મ બનાવામાં કેટલા લોકોની મહેનત લાગેલી હોય છે. એટલા માટે મારી ફિલ્મને લોકો વધારેમાં વધારે જોવે. મને આશા છે કે, આપ લોકોને આ ફિલ્મ જરૂરથી પસંદ આવશે.
ADVERTISEMENT
If I have hurt anyone by any means, I regret it. I don't want to hurt anyone. If someone doesn't want to watch the film, I'd respect their sentiment: Aamir Khan when asked about controversy around his upcoming film Laal Singh Chaddha & calls on social media to boycott it (09.08) pic.twitter.com/iZATYGPE90
— ANI (@ANI) August 10, 2022
ADVERTISEMENT
આ ફિલ્મને લઈને દર્શકો પાસેથી આશા છે - આમિર ખાન
એક્ટરે કહ્યું છે કે, આ ફિલ્મ ભારે મહેનતથી બનાવી છે. ફિલ્મમાં તેના ઉપરાંત અન્ય પણ કલાકારો છે, જેમણે બહું મહેનત કરી છે. એક ફિલ્મ જે બને છે, તેમાં સેંકડો લોકોની મહેનત હોય છે. આ જ કારણ છે કે આ ફિલ્મને લઈને દર્શકો પાસેથી ખૂબ આશા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, વિવાદોમાં ફસાયેલી આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા હોલીવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગંપની હિન્દી રિમેક છે. આ ફિલ્મથી આમિર ખાન લાંબા સમય બાદ કમબૈક કરી રહ્યો છે. આ ફિલ્મમાં આમિરની સાથે સાથે કરિના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, નાગા ચૈતન્યની આ પ્રથમ બોલિવૂડ ડેબ્યૂ છે. આ ફિલ્મ આવતીકાલે એટલે 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ