બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ટેરિફ તો બહાનું, યુદ્ધવિરામનો જશ ન મળતાં ટ્રમ્પ કાઢી રહ્યાં છે ખુન્નસ', બોલ્યાં મોટા ઉદ્યોગપતિ
Last Updated: 10:40 AM, 7 August 2025
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ ભારત પર 25 ટકા વધારાના ટેરિફની જાહેરાત કરી ચોંકાવી દીધા છે. ટ્રમ્પે આ પગલું ત્યારે ભર્યું છે જયારે ભારતે રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખી છે. આ બાબતથી ટ્રમ્પ ખૂબ ગુસ્સે હતાં અને તેમણે ભારત પર આ આર્થિક દંડ દ્વારા ટેરિફ લાદી દીધો છે. એનાલિસ્ટ મુજબ, ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર ગંભીર અસર પડી શકે છે.
ADVERTISEMENT

સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર Michael Kugelmanનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ છેલ્લા બે દાયકાથી સૌથી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મને લાગતું નથી કે ટ્રમ્પના આ પગલાથી સૌ કોઇ આશ્ચર્યચકિત છે. કારણ કે, બંને દેશો વચ્ચેના સંબંધો અગાઉથી જ ખરાબ હાલતમાં હતા.” તેમનું માનવું છે કે આ પ્રકારના નિર્ણયો ભવિષ્યમાં સંબંધોને વધુ ખરાબ બનાવી શકે છે.
ADVERTISEMENT
VIDEO | On US President Donald Trump’s new tariffs, South-Asia Analyst Michael Kugelman (@MichaelKugelman) says, “President Trump is not afraid to apply maximum pressure on against even a close partner like India to try to ensure that ultimately India decides to cut Russian oil… pic.twitter.com/R4Va0NKiZ3
— Press Trust of India (@PTI_News) August 5, 2025
ADVERTISEMENT
ટ્રમ્પની માન્યતા છે કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી ના કરવી જોઇએ, કારણ કે તે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને મદદ મળી રહે છે. ટ્રમ્પ એવા નેતા છે કે તેઓ તેમના નજીકના ભાગીદારો પર પણ દબાણ બનાવવા પર કોઇ પણ ઓફસોસ કરતા નથી. તેમનું માનવું છે કે વેપાર અને રણનીતિક દબાણ દ્વારા ભારતને પોતાનો નિર્ણય બદલવા પર મજબૂર કરી શકે છે.

ADVERTISEMENT
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ચીન પણ રશિયા સાથે વેપાર કરે છે, તો તેના પર પણ શું આવા ટેરિફ લાગૂ થશે? ટ્રમ્પે જવાબ આપ્યો કે, "હા, તે શક્ય છે". પરંતુ Michael Kugelman મુજબ, ભારતે ટ્રમ્પના યુદ્ધવિરામના પ્રયાસોને ખુલ્લેઆમ પડકાર્યા હતા, જ્યારે ચીને એવો કંઈ નહોતું કર્યું. એટલે ટ્રમ્પે ખાસ ભારતને નિશાન બનાવ્યું છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પના આ પગલાના કારણે રાજકારણ બદલાવ આવી શકે છે.
ADVERTISEMENT
ભારત સરકારે આ 25% વધારાના ટેરિફ સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને વ્યાપારની સ્વતંત્રતાના વિરોધી ગણાવ્યું છે. ભારતે જણાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ રશિયા પાસેથી ક્રૂડ ખરીદી કરે છે અને તેનું આર્થિક સ્વાર્થ જાળવવા માટે તે યોગ્ય પગલાં લઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.