બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, વર્લ્ડ કપ-આફ્રિકા સીરિઝ માટે ટીમનું એલાન
Last Updated: 09:16 PM, 27 December 2025
વૈભવ સૂર્યવંથીએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકાના ત્રણ મેચની ODI શ્રેણી રમશે. બીસીસીઆઈએ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. વૈભવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે એરોન જ્યોર્જને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT

ભારતીય ટીમ 3 જાન્યુઆરીએ વિલ્મોર પાર્ક ખાતે શ્રેણીની પહેલી વનડે, ૫ જાન્યુઆરીએ બીજી વનડે અને ૭ જાન્યુઆરીએ છેલ્લી વનડે રમશે, તે પણ વિલ્મોર પાર્ક ખાતે. આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રાને કાંડામાં ઈજા થઈ છે. બંને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. બંને ખેલાડીઓ તેમની ઈજાઓની વધુ સારવાર માટે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે અને આઈસીસી મેન્સ અંડર-૧૯ વર્લ્ડ કપ માટે ટીમમાં જોડાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રિકેટ જગત પડી ગયું આઘાતમાં, મેચ શરુ થતાં પહેલાં ટીમના કોચનું અવસાન
દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની ટીમ: વૈભવ સૂર્યવંશી (કેપ્ટન), એરોન જ્યોર્જ (વાઈસ-કેપ્ટન), વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. અંબરીસ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, મોહમ્મદ અના, હેનીલ પટેલ, ડી. દિપેશ, કિશન કુમાર સિંહ, ઉદ્ધવ મોહન, યુવરાજ ગોહિલ, રાહુલ કુમાર.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.