ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નિવૃત્તિ બાદ પણ દર મહિને મળતું રહેશે 5000નું પેન્શન! સરકારનો મોટો નિર્ણય
Last Updated: 02:56 PM, 21 January 2026
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે લાખો ગરીબો અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને રિટાયરમેન્ટ પછી આગળ પણ દર મહિને નિશ્ચિત પેન્શન મળતું રહેશે. સરકારે અટલ પેન્શન યોજના (APY) ને વર્ષ 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
ADVERTISEMENT
આ નિર્ણયથી એ પણ નિશ્ચિત થઈ ગયું છે કે સરકાર આ યોજના પ્રચાર-પ્રસાર, વિકાસ અને આને આર્થિક રીતે મજબૂત કરી રાખવા માટે પૈસા આપતી રહેશે. આનો અર્થ છે કે જે મજૂરો પાસે નોકરી પછી પેન્શનની કોઈ વ્યવસ્થા નથી, તેમણે 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીનું ગેરંટીવાળું પેન્શન મળશે. આ પેન્શન એમના દ્વારા કરવામાં આવેલા યોગદાન પર નિર્ભર કરશે.
ADVERTISEMENT
આ યોજના વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષા આપે છે અને ખાસ કરીને ગામો અને નાના શહેરોના મજૂરોને આર્થિક રીતે જોડવામાં મદદ કરે છે. કેબિનેટ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર જાગૃતિ ફેલાવવા, લોકોને આ યોજના વિશે જણાવવા અને તેને વધુ સારી બનાવવા માટે સતત મદદ કરતી રહેશે. સાથે જ યોજનાને લાંબા સમય સુધી ચલાવવા માટે જરૂરી આર્થિક મદદ પણ ચાલુ રહેશે.

ADVERTISEMENT
અટલ પેન્શન યોજનાની શરૂઆત 9 મે 2015ના રોજ શરૂ થઈ હતી. આનો હેતુ એવા મજૂરોને પેન્શનનો ફાયદો આપવાનો હતો કે જેઓ કોઈ ફોર્મલ પેન્શન સિસ્ટમ સાથે જોડાયેલા નથી. આ યોજના તેમને થોડી-થોડી બચત કરવા માટે પ્રેરિત કરે છે, જેથી તેઓ રિટાયરમેન્ટ પછી આરામથી રહી શકે. આ ભારતના સામાજિક સુરક્ષા માળખાનો એક મહત્ત્વનો ભાગ બની ગઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ખોટા એકાઉન્ટમાં જતા રહ્યાં છે UPIના પૈસા? આવી રીતે લાવી શકાશે પાછા
19 જાન્યુઆરી 2026 સુધી 8.66 કરોડથી વધુ લોકો આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. સરકારનું કહેવું છે કે લોકોને આ યોજના વિશે જણાવતા રહેવા, આને સારી રીતે લાગુ કરવા અને આને લાંબા સમય સુધી યોગ્ય રીતે ચલાવવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે આગળ પણ સરકારનો સહયોગ ચાલુ રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.