બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF એકાઉન્ટમાં ઓછામાં ઓછી રકમ જમા ન કરવા પર શું થાય? જાણો નિયમ
Last Updated: 12:42 PM, 5 July 2026
તમે દર વર્ષે તમારા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ખાતામાં પૈસા જમા કરો છો, તો દર વર્ષે ઓછામાં ઓછી રકમ જમા કરવી મહત્વપૂર્ણ છે. જો કે મોટાભાગના લોકો માને છે કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમના પીપીએફ ખાતામાં પૈસા જમા કરી શકે છે. જો તમને આવું લાગે છે તો તે સાચું નથી.
ADVERTISEMENT
સરકારે આ માટે ન્યૂનતમ રોકાણની આવશ્યકતા નક્કી કરી છે. તેથી જો તમે નિર્ધારિત નિયમો અનુસાર તમારા ખાતામાં પૈસા જમા ન કરાવો, તો તમારું ખાતું નિષ્ક્રિય થઈ શકે છે, જેના કારણે તમને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
દર વર્ષે કેટલા પૈસા જમા કરાવવા જરૂરી ?
ADVERTISEMENT
એક નાણાકીય વર્ષમાં પીપીએફ ખાતામાં ઓછામાં ઓછા ₹500 અને વધુમાં વધુ ₹1.5 લાખ જમા કરાવી શકાય છે. તમે આ રકમ એક જ વારમાં અથવા હપ્તામાં જમા કરાવી શકો છો. જોકે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ₹500 જમા કરાવવા ખૂબ જરૂરી છે.
તમે ઓછામાં ઓછી રકમ જમા ન કરાવો તો શું થશે?
ADVERTISEMENT
તમે નાણાકીય વર્ષમાં તમારા પીપીએફ ખાતામાં ઓછામાં ઓછી ₹500 જમા ન કરાવો, તો તમારું ખાતું નિષ્ક્રિય થઈ જશે. આનાથી તમારા PPF ખાતામાં સામાન્ય વ્યવહારો કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેથી સમયસર લઘુત્તમ રકમ જમા કરાવવી ખૂબ મહત્વપૂર્ણ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / આ દેશનો પાસપોર્ટ દુનિયામાં બન્યો નંબર-1, જાણો રેન્કિંગમાં ભારત કયા ક્રમાંકે
ખાતું ફરીથી કેવી રીતે ચાલુ થશે?
ADVERTISEMENT
જો તમારું પીપીએફ ખાતું નિષ્ક્રિય થઈ ગયું હોય તો તમે તેને ફરીથી ચાલુ કરી શકો છો. આ માટે દરેક ચૂકી ગયેલા નાણાકીય વર્ષ માટે ઓછામાં ઓછી ₹500 જમા કરાવવાની જરૂર છે, ઉપરાંત ₹50 નો દંડ પણ ભરવો પડશે. બધી બાકી રકમ જમા કરાવ્યા પછી તમારું ખાતું ફરીથી ચાલુ કરી શકાય છે.
તેથી જો તમે હજુ સુધી તમારા પીપીએફ ખાતામાં ઓછામાં ઓછી રકમ જમા કરાવી નથી, તો શક્ય તેટલી વહેલી તકે તેને પૂર્ણ કરો જેથી તમારું ખાતું ચાલુ રહે અને ભવિષ્યની સમસ્યાઓ ટાળી શકાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.