આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
આ દિવસે શિવાલિયોમાં વિશિષ્ટઆયોજન કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર,ખાસ કરીને આ દિવસે દિવાદિદેવ શિવજીની વિશિષ્ટ રીતે પૂજા-અર્ચના કરવાથી આરોગ્ય પ્રાપ્તિ તથા આકસ્મિક અકસ્માતથી પણ બચી શકાય છે.
આ સિવાય શિવાલયમાં બેસીને ‘ઓમ્ નમ: શિવાય' મંત્રની 11 વખત માળા પણ કરી શકાય છે. આ જ રીતે મહામૃત્યુજંય મંત્રનો જાપ કરીને કાળા તળ મિશ્રિત જળનો અભિષેક કરવો જોઇએ. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માંદગીથી પીડાતા હોય તેઓએ ચોક્કસથી શિવજીના દર્શન કરવા જોઇએ. આ દિવસે ‘શિવમહિમ્નસ્તોત્ર’નું પઠન પણ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.
આ સિવાય જો તમે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હોવ અને મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો પૂજા-અર્ચના કરતી વખતે આ વસ્તુઓને ઉપયોગ અવશ્ય કરી શકો છો.
- માન્યતા એવી છે કે ભગવાન શંકરને સાકર ચડાવવાથી સુખ અને સમુદ્ઘિમાં વધારો થાય છે. ભોળેનાથને સાકર ચડાવવાથી તેઓ ચોક્કસથી પ્રસન્ન થશે.
- દૂધ, દહીં, મધ અને ખાંડ આ પાંચ વસ્તુઓના મિશ્રણથી પંચામૃત બને છે. પાઠ-પૂજા સમયે તેને ભગવાનને અર્પણ કરવામાં આવે છે, તેથી આ પંચામૃતથી અવશ્ય ભગવાન શંકરનો રુદ્રાભિષેક કરો.
- શિવજીની પૂજા-અર્ચનામાં દૂધનું વિશેષ મહત્વ છે. દૂધ અર્પણ કરવાથી સારુ સ્વાસ્થ્ય મળે છે તેથી પૂજા કરતા સમયે દૂધને અવશ્ય સ્થાન આપો.
- શિવજીને પ્રસાદમાં કેસર અને દૂધ બંને ખૂબ જ પસંદ છે. જો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો દૂધમાં કેસર નાંખીને ઉકાળીને શિવજીને ભોગ ચઢાવી શકો છો.
- એવુ કહેવાય છે કે દહીં ચડાવવાથી સ્વભાવ ગંભીર થાય છે. તમે પણ જીવનમાં ગંભીરતા ઇચ્છતા હોવ તો ભગવાન શંકરને દહીં ચડાવો જેથી તેમની અસીમ કૃપા તમારા પર રહે.