ભગવાન ભોળેનાથના મનગમતા શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઇ ગઇ છે.
શિવભક્તો આ મહિનામાં ભગવાન શંકરને રિઝવવા માટે કોઇ કસર બાકી રાખતા નથી. મંદિરોમાં પહોંચેલા શિવભક્ત શિવલિંગ પર અનેક વસ્તુઓ અર્પણ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે ભૂલથી પણ એવી વસ્તુઓ ના ચઢાવવી જોઇએ જેનાથી ભગવાન શંકર નારાજ થઇ જાય..જાણીએ આવી જ કેટલીક વસ્તુઓ માટે...
- હળદરનો સંબંઘ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યની સાથે છે. આ કારણે જ ભગવાન શિવની હળદરની પૂજા કરવામાં આવતી નથી.
- જલંધર નામની અસુરથી પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો. જેણે ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો, આજ કારણથી તુલસીને ક્યારેય પણ શિવજીની પૂજામાં અર્પણ કરવામાં આવતી નથી.
- તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલુ માનવામાં આવે છે, જેથી તેણે શંકર ભગવાનની પૂજામાં તલને અર્પિત કરવામાં આવતુ નથી.
- ભગવાન ભોળેનાથ અક્ષત: એટલે કે સંપૂર્ણ ચોખા અર્પણ કરવા જોઇએ. શાસ્ત્રોમાં લખવામાં આવ્યુ છે કે, તૂટેલા તોખા અપૂર્ણ અને અશુદ્ઘ ગણવામાં આવે છે, જેથી તેને ભગવાન શંકરને પૂજા- અર્ચનામાં ના ચડાવવા જોઇએ.
- કુમકુમને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે ભગવાન શિવ વૈરાગી છે આ કારણે ભગવાન શંકરને કુમકુમ ચડાવવામા આવતુ નથી.