ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / the controversy between uttar pradesh and uttarakhand has been solved

વિવાદ સમાપ્ત / CM યોગીએ ચપટીમાં ઉકેલ્યો 21 વર્ષ જૂનો મોટો વિવાદ, હરિદ્વાર જતાં લોકોને થશે ફાયદો

Published By: Jaydeep Shah

Last Updated: 05:58 PM, 5 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચે હોટલ અલકનંદાને લઈને ચાલી રહેલ 21 વર્ષ જુનો વિવાદ સમાપ્ત થયો છે. આજે યૂપીમાં હોટલ ભગીરથીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનો 21 વર્ષ જુનો વિવાદ થયો સમાપ્ત 
  • હોટલ અલકનંદાને લઈને હતો આ વિવાદ 
  • આજે હોટલ ભગીરથીનું થયું ઉદ્ઘાટન

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વચ્ચેનો 21 વર્ષ જુનો વિવાદ થયો સમાપ્ત 

યૂપી અને ઉત્તરાખંડ વચ્ચે 21 વર્ષ જુનો વિવાદ આજે સમાપ્ત થયો છે. સંપત્તિને લઈને બંને રાજ્યો વચ્ચેનાં વિવાદને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડનાં સીએમએ મળીને પૂરો કર્યો છે. ગંગા કિનારે બનેલ અલકનંદા હોટલને લઈને બંને રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યો હતો અને આ મામલો કોર્ટ સુધી પણ ગયો હતો. જોકે લગભગ અઢી વર્ષ પહેલા ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાતચીત દ્વારા સુલજાવ્યો હતો. તેનું પરિણામ એ રહ્યું કે ઉત્તરાખંડને તેની અલકનંદા હોટલ મળી ગઈ, તો તેની જ પાસે યૂપીએ ભગીરથી હોટલ બનાવીને તૈયાર કરી. ગુરુવારે યોગી આદિત્યનાથ અને પુષ્કર સિંહ ધામીની હાજરીમાં સંપત્તિને વહેંચવાની ફોર્માલીટી પૂરી કરીને હોટલ ભગીરથીનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. 

હોટલ અલકનંદાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના પૈતૃક ઘર પાસે મંગળવારે થયેલા કાર્યક્રમમાં બંને રાજ્યો વચ્ચેના આ સંપત્તિનાં ભાગલાને લઈને વાત ઉચ્ચારી હતી. તેમણે કહ્યું હતું કે બીજેપી સરકાર બંને રાજ્યોમાં બનવાનો ફાયદો એ છે કે જે વિવાદ વર્ષ 2000થી ચાલી આવ્યો હતો, તે વાતચીતથી સમાપ્ત થયો. સારી સુવિધાઓ સાથે હોટલ ભગીરથી હવે શરુ કરવામાં આવશે. યૂપીનાં સીએમ યોગી આદિત્યનાથે હસતા હસતા કહ્યું કે અમે અલકનંદા હોટલ પાસે જ ભગીરથી નામથી એટલી સારી હોટલ તૈયાર કરી છે કે ઉત્તરાખંડનાં સીએમ તેને જોઇને ક્યાંક તે ન માંગવા લાગે. 

યૂપીથી વર્ષ 2000માં અલગ થયું હતું ઉત્તરાખંડ 
યૂપીથી અલગ થયા બાદ ઉત્તરાખંડને અલગ રાજ્ય તરીકે વર્ષ 2000માં ઘોષિત કરવામાં આવ્યુ હતું. ત્યારે ઘણી એવી સંપત્તિઓ હતી, જેને લઈને બંને રાજ્યોમાં વિવાદ હતો. તેમાંની જ એક આ હોટલ અલકનંદા છે, જે ગંગા નદીનાં કિનારા પર બનેલ છે. આ હોટલને યૂપી પર્યટન નિગમ ચલાવતું આવ્યું છે, જેનાં પર ઉત્તરાખંડ કબજો કરવા માંગે છે. અઢી વર્ષ પહેલા વાતચીતમાં એમ નક્કી થયું કે અલકનંદાની પાસેની જમીન યૂપીને આપવામાં આવશે, જેનાં પર પોતાના ખર્ચે યૂપી પોતાની હોટલ બનાવશે. હવે હોટલ બનીને તૈયાર છે, જેનું ઉદ્ઘાટન પણ આજે કરવામાં આવ્યું. 

હોટલ ભગીરથીમાં છે શાનદાર સુવિધાઓ 
ઉત્તર પ્રદેશ પાર્ટન મંત્રી ઠાકુર જયવીર સિંહે જણાવ્યું કે યૂપીએ જે હોટલ બનાવી છે, તે શાનદાર સુવિધાઓ ધરાવે છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનાં નેતૃત્વમાં યૂપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડનાં સીએમએ વિવાદ સમાપ્ત કર્યો છે. લોકોને હવે એકને બદલે બે હોટલોનાં ઓપ્શન મળશે. સરકાર શાનદાર સુવિધાઓ આપવા માટે તેને ચલાવવાનું કામ કોઈ પ્રાઈવેટ કંપનીને આપવાનો વિચાર કરી રહી છે. આ હોટલમાં લગભગ 100 રૂમ બની રહ્યા છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ યોગી આદિત્યનાથ CM Yogi Adityanath

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ